Latest

Thursday, May 9, 2019

લોકપ્રિય પગલાંથી રાજ્યોને ખોટ જશે: RBIની ચેતવણી

69244592

મુંબઈ: રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવતાં લોકપ્રિય પગલાંને કારણે ચેતવણી વ્યક્ત કરતાં આરબીઆઈએ બુધવારે જણાવ્યું હતું કે, આવક સમર્થન યોજના અને ખેડૂત લોન માફી જેવાં પગલાંથી રાજ્યોને નોંધપાત્ર રાજકોષીય નુકસાન થશે.

અહીં આરબીઆઈના વડામથક ખાતે 15મા નાણા પંચ અને ગવર્નર શક્તિકાન્તા દાસ અને ડેપ્યૂટી ગવર્નર સહિતના આરબીઆઈના હોદ્દેદારોની બેઠકમાં આ ચેતવણી વ્યક્ત કરવામાં આવી હતી.

પોતાના પ્રેઝન્ટેશનમાં આરબીઆઈએ કેટલાંક પરિબળોનો નિર્દેશ કર્યો હતો જેનાથી 2018-19ના સુધારેલા અંદાજમાં ફિસ્કલ સ્લિપેજિસ આવશે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય ચૂંટણીઓ પહેલાં કેટલાંક રાજ્યો અને કેન્દ્ર સરકારે સીમાંત ખેડૂતો અને ગરીબો માટે અનેક રાહતોની જાહેરાત કરી હતી. ભાજપની સરકારોએ ગામડામાં લોકોની મુશ્કેલીઓ અને આંદોલનોને કારણે રાહતો જાહેર કરી હતી, જ્યારે ગયા ડિસેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકારોએ આવી રાહતોની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકારની આવક સમર્થન યોજનામાંથી પ્રેરણા લઈને દેશભરના ગરીબો માટે બજેટમાં જાહેરાત કરી હતી. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો લોકસભાની ચૂંટણી જીતશે તો વર્ષે 72,0000ની આવકની ખાતરી આપશે. આ સ્કીમથી સરકારના નાણાકીય સંસાધનો ખલાસ થઈ જશે એવી ચિંતા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી હતી.

આરબીઆઈના તમામ ગવર્નરો ફિસ્કલ સ્લિપેજિસ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. આવી યોજનાઓથી ફુગાવા પર અસર પડે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HbBbhA

No comments:

Post a Comment

Pages