Latest

Tuesday, May 21, 2019

વર્લ્ડકપ પછી ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ આ કામ કરશે ધોની! 🙄🙄

સંન્યાસ બાદ શું કરશે ધોની?

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બાળપણનું સપનું શેર કરતા કહ્યું કે તે પેઈન્ટર બનવા ઈચ્છતો હતો અને ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે પોતાનો શોખ પૂરો કરવા ઈચ્છશે. જે બાદ આ દિગ્ગજ ક્રિકેટરના સંન્યાસ લેવાની અટકળો લાગવાનું શરૂ થઈ ગયું છે. આઈસીસી વર્લ્ડકપ બાદ સંન્યાસ લેવાની સંભાવના વચ્ચે ધોનીએ પોતાની કેટલીક પેઈન્ટિંગ્સનું પ્રદર્શન કર્યું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વીડિયો પોસ્ટ કરીને કરી જાણ

તેના એક વીડિયોમાં કહ્યું, હું તમારા બધા સાથે એક સિક્રેટ શેર કરવા ઈચ્છું છું. બાળપણથી જ હું એક પેઈન્ટર બનવા ઈચ્છતો હતો. મેં ખૂબ ક્રિકેટ રમી લીધી છે આથી મેં નિર્ણય કર્યો છે કે હવે તે સમય આવી ગયો છે જે હું કરવા ઈચ્છું છું આથી મેં કેટલીક પેઈન્ટિંગ બનાવી છે.

વર્લ્ડકપમાં ધૂમ મચાવવા ધોની તૈયાર

ભારતની ટી20 અને વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન રહેલા 37 વર્ષના ધોની વર્લ્ડકપમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ તેનો અંતિમ વર્લ્ડકપ હોઈ શકે છે. તેની પહેલી પેન્ટિંગ પ્રાકૃતિક દ્રશ્યની છે. બીજી પેન્ટિંગ માટે તેણે કહ્યું કે આ એક એવી વસ્તુ છે જેવી ભવિષ્યમાં ટ્રાવેલનું સાધન હોઈ શકે છે.

ચેન્નૈ ટીમમાં ધોની!

ધોનીએ ત્રીજી પેઈન્ટિંગને પોતાની ફેવરિટ બતાવી. તેણે કહ્યું કે આ તેની પ્રતિકૃતિ છે જેમાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નૈ સુપર કિંગ્સની જર્સીમાં રમતા દેખાય છે. ધોનીએ કહ્યું કે તે જલ્દી જ પોતાના પેઈન્ટિંગ્સનું પ્રદર્શન કરશે અને તેણે આ સંબંધમાં પોતાના ફેન્સ પાસેથી સૂચન માગ્યા છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2HAEttq

No comments:

Post a Comment

Pages