પવિત્ર ચારધામ પૈકીનું એક છે કેદારનાથ

હિન્દુ ધર્મના પવિત્ર ચારધામ પૈકીનું એક છે કેદારનાથ. આ ચાર ધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી. દર વર્ષે લાખો તીર્થયાત્રીઓ ચારધામના દર્શન કરવા માટે આવે છે. કેદારનાથ પહોંચવું ખૂબ જ સરળ છે અને જે લોકોને એડવેન્ચરનો શોખ છે તે લોકો માટે કેદારનાથ એક સારું ટૂરિઝમ પ્લેસ છે. કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે અને તે શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. તે 3,584 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તો ચાલો જાણીએ કેદારનાથ સુધી કેવી રીતે પહોંચી શકાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ રીતે વિમાન દ્વારા કેદારનાથ પહોંચી શકાય છે

કેદારનાથમાં કોઈ એરપોર્ટ આવેલું નથી પણ ત્યાંથી સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદુન એરપોર્ટ છે. તે કેદારનાથથી લગભગ 250 કિલોમીટર દૂર આવેલું છે અને જોલી ગ્રાન્ટ નામનું આ એરપોર્ટ ભારતના મોટા શહેરો જેવા કે નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ સાથે જોડાયેલું છે. વિમાનમાં એકવખત દહેરાદૂન પહોંચ્યા બાદ ત્યાંથી બસ અથવા ટેક્સી દ્વારા તમે કેદારનાથ પહોંચી શકો છો.
આ રીતે રોડ દ્વારા કેદારનાથ પહોંચી શકાય છે

કેદારનાથ નવી દિલ્હી અને દહેરાદૂનના બસ નેટવર્ક સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલું છે. જો તમે નવી દિલ્હી ઉતરો તો ત્યાંથી બસમાં દહેરાદૂન પહોંચી શકો છો કે જે ત્યાંથી લગભગ 260 કિલોમીટરના અંતરે આવેલું છે. દિલ્હીમાં આવેલા કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ અને આનંદ વિહાર બસ ટર્મિનલથી દરરોજ દહેરાદૂનની બસ ઉપડે છે. ત્યાં તમને એસી સ્લીપર, નોન એસી સ્લીપર, વોલ્વો એસી, સેમી-સ્લીપર બસ જેવા અનેક વિકલ્પો જોવા મળશે. તમે હરિદ્વાર પણ જઈ શકો છો અને ત્યાંથી સરળતાથી કેદારનાથની બસ અથવા ટેક્સી મળી જશે. હરિદ્વારથી કેદારનાથ માત્ર 125 કિલોમીટરના અંતરે આવેલું છે. બસમાં માત્ર 5 કલાકમાં પહોંચી શકાય છે. કેદારનાથના સૌથી નજીકના વિસ્તારનું નામ ગૌરીકુંડ છે.
આ રીતે ટ્રેન દ્વારા કેદારનાથ પહોંચી શકાય છે

કેદારનાથમાં એકપણ રેલવે સ્ટેશન આવેલું નથી, ઋષિકેશમાં આવેલું રેલવે સ્ટેશન, કેદારનાથનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન ગૌરી કુંડથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલું છે અને તે દેશના લગભગ તમામ મુખ્ય સ્ટેશનો સાથે જોડાયેલું છે. રેલવે સ્ટેશનથી સરળતાથી બસ અથવા ટેક્સી દ્વારા કેદારનાથ પહોંચી શકાય છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Jerml6
No comments:
Post a Comment