આ રીતે ચાલશો તો વધુ ફાયદામાં રહેશો

હેલ્ધી રહેવા માટે નિયમિત ચાલવું ખૂબ જરૂરી છે. જોકે વધુ ફાયદો જોઈતો હોય તો ઘાસ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પગમાં ગોટલા ચડવા

મોટાભાગે વધતી ઉંમર સાથે લોકોના પગમાં ગોટલા ચડવા અથવા સોજો આવવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ડોક્ટર્સની ફી ચૂકવતાં-ચૂકવતાં બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય છે. પરંતુ તમને આ સોજા અને દુખાવામાંથી રાહત નથી મળતી. જોકે ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી તમારી આ તકલીફ દૂર કરી શકો છો. લીલા ઘાસ પર ચાલવાથી ઓક્સિજનયુક્ત બ્લડ તમારા બોડીમાં યોગ્ય રીતે સર્ક્યુલેટ થાય છે. તેથી પગમાં સોજો નથી આવતો.
અનિદ્રા કન્ટ્રોલ કરે

ઊંઘ ન આવવાના રોગને અનિદ્રા કહેવાય છે. આ એક સ્લીપિંગ ડિસઓર્ડર છે. આ રોગમાં માણસને પૂરતી ઊંઘ નથી આવતી. ઘાસ પર ખુલ્લા પગે ટહેલવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. સાંજના સમયે જો તમે દરરોજ 15 મિનિટ ઘાસ પર ચાલશો તો તમને માનસિક રાહત મળશે અને રાત્રે ઊંઘ આવી જશે.
આંખોની રોશની તેજ થશે

આપણા પગમાં એક પ્રેશર પોઇન્ટ હોય છે. ઘાસ પર સવારે ખુલ્લા પગે ચાલવાથી આ પ્રેશર પોઇન્ટ દબાય છે. એવું માનવામાં આવે છે કે ઘાસના લીલા રંગને જોવાથી આંખને રાહત અને ઠંડક મળે છે. તેથી સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખનું તેજ વધે છે.
નર્વસ સિસ્ટમ હેલ્ધી થશે

ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી પગના ખાસ એક્યુપંક્ચર પોઇન્ટ ઉત્તેજિત થાય છે, જે આપણાં શરીરની નર્વસ સિસ્ટમમાં સુધાર લાવે છે. નિયમિત ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી વેરિકોઝ વેન્સના કારણે દુખાવો ઓછો થાય છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદાકારાક સાબિત થાય છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2VNaRyk
No comments:
Post a Comment