પીયૂષ ગોયેલે સાધ્યું હતું નિશાન

કેન્દ્રિય રેલ મંત્રી અને બીજેપી નેતા પીયૂષ ગોયલે તાજેતરમાં કોંગ્રેસ અને મહારાષ્ટ્રના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિલાસરાવ દેશમુખ મુંબઈ હુમલા સમયે પોતાના દીકરા રિતેશ દેશમુખ માટે બોલિવૂડ ફિલ્મમાં રોલ અંગે ચિંતિત હતાં. હવે સોમવારે સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા રિતેશ દેશમુખે બીજેપી નેતાને જવાબ આપ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શું કહ્યું રિતેશ દેશમુખે?

રિતેશે ટ્વિટર પર એક લાંબી પોસ્ટમાં લખ્યું કે,’માનનીય મંત્રી જી, એ સાચું છે કે હું તાજ/ઓબેરોય હોટેલ ગયો હતો. જોકે, એ સાચું નથી કે હું તે સમયે ત્યાં હતો જ્યારે ત્યાં ‘ગોળીબાર અને બોમ્બ ધડાકા’ થઈ રહ્યાં હતાં. જેમ તમે દાવો કર્યો છે.’
જુઓ, સમગ્ર પોસ્ટ
— Riteish Deshmukh (@Riteishd) 13 May 2019
એક્ટરે આગળ લખ્યું કે,’એ સાચું છે કે હું પિતા સાથે હતો જોકે, એ સાચું નથી કે તેઓ મને ફિલ્મમાં રોલ અપાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમણે ક્યારેય પણ કોઈ ડિરેક્ટર અથવા પ્રોડ્યૂસરને મને ફિલ્મમાં કાસ્ટ કરવા અંગે કોઈ વાત નથી કરી અને મને તેના પર ગર્વ છે.’
દેશમુખે એ પણ કહ્યું હતું કે,’તમને સીએમને સવાલ કરવાના અધિકાર છે પરંતુ કોઈ એવા વ્યક્તિ પર આરોપ લગાવવો ખોટો છે. જે પોતાને ડિફેન્ડ કરવા માટે અહીં છે જ નહીં. થોડું મોડું ભલે પણ સાત વર્ષ પહેલા તેમણે તમને જવાબ આપ્યો હશે. મારી શુભકામનાઓ તમારા કેમ્પેઈન સાથે છે સર.’
શું કહ્યું હતું પીયૂષ ગોયલે?

નોંધનીય છે કે પીયૂષ ગોયલે પંજાબના લુધિયાણામાં બિઝનેસ કોમ્યુનિટીને સંબોધન કરતાં કહ્યું હતું કે,’હું મુંબઈથી છું. તમે 26/11ના આતંકવાદી હુમલાને યાદ કરી શકો છો. તત્કાલીન કોંગ્રેસ સરકાર નબળી હતી અને કશું જ કરી શકી નહોતી. તે સમયે અંદર બોમ્બ અને ગોળીબાર થઈ રહ્યો હતો. જોકે, તે સમયના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ ઓબેરોય હોટલની બહાર એક ફિલ્મ પ્રોડ્યૂસરને લઈને ગયા હતાં. તેઓ પોતાના દીકરાને ફિલ્મમાં રોલ અપાવવાના કારણે પરેશાન હતાં.’
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2E6msCw
No comments:
Post a Comment