શક્તિપીઠ છે આ મંદિર
હિન્દુ ધર્મમાં કાલમાતાને સૌથી જાગૃત દેવી માનવામાં આવે છે. કાલી માની પૂજા ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં વધુ થાય છે. દેવી દુર્ગાની જે દસ મહાવિદ્યા હતી તે પૈકીની એક કાલી માતા છે. કાલી માના મુખ્ય ચાર સ્વરુપ છે. દક્ષિણા કાલી, શમશાન કાલી, માતૃકાલી અને મહાકાલી. આમ તો દેશભરમાં કાલી માતના અનેક મંદિર છે. પરંતુ, પાંચ મંદિર એવા છે જેનો ઉલ્લેખ પુરાણોમાં છે. દક્ષિણેશ્વર કાલી મંદિર પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. રામકૃષ્ણ પરમહંસના આરાધ્ય દેવી કાલીના આ મંદિરને ચમત્કારિક માનવામાં આવે છે. અહીં સતીના પગની ચાર આંગળીઓ પડી હતી. તેથી તે 52 શક્તિપીઠ પૈકી એક શક્તિપીઠ માનવામાં આવે છે. આ મંદિર કોલકાતાના કાલીઘાટ પાસે આવેલું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ગઢકાલી ઉજ્જૈન

ઉજ્જૈનું આવેલું કાલી માતાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. જેને ગઢકાલીથી ઓળખવામાં આવે છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ શક્તિપીઠ હોવાને કારણે આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે. પુરાણમાં ઉલ્લેખ અનુસાર ઉજ્જૈનમાં આવેલી ક્ષીપા નદી પાસેના ભૈરવ પર્વત પર સતી માતાનું અંગ પડ્યું હતું તેથી આ શક્તિપીઠ છે. કાલીમાતાને તાંત્રિકોની દેવી પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે,આ મંદિરની સ્થાપના મહાભારત કાળમાં થઈ હતી. પણ મૂર્તિ સતયુગના સમયની છે. પછીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. રાજા હર્ષવર્ધને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યાર બાદ ગ્વાલિયરના મહારાજાએ મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું હતું. કવિ કાલીદાસ પણ ગઢકાલી દેવીના ઉપાસક હતા.
મહાકાલી ગુજરાત

પાવાગઢના પર્વત પર મહાકાલી બીરાજમાન છે. આ મંદિર 52 શક્તિપીછ પૈકી એક છે. અહીં પણ માતાના બીજા પગની આંગળીઓ પડી હોવાનું માનવામાં આવે છે. ગુજરાતની એક સમયની રાજધાની ચંપારણ પાસે પાવાગઢ આવેલું છે. રોપવેથી 250 પગથિયા ચઢીને મુખ્ય મંદિર સુધી પહોંચી શકાય છે. પાવાગઢથી નજીકનું શહેર વડોદરા છે જે 50 કિમી દૂર છે.
કાલીમંદિર બાગેશ્વર

આ કાલી મંદિરની સ્થાપના દસમી સદીમાં શંકરાચાર્યએ કરી હતી. કૈલાશ યાત્રા બાદ અહીં પહોંચેલા શંકરાચાર્યએ લોકોની સુરક્ષા માટે માતાકાલીને પ્રાર્થના કરી હતી. અહીં કાલ નામના અસુરનો આતંક હતો જે લોકોની બલી ચડાવતો હતો. લોકો આ અસુરથી ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકોએ શંકરાચાર્યને પોતાની આપવીતી કહી હતી. પછીથી અહીં માતા કાલીનો વાસ થયો અને ત્યારથી અહીં માતાકાલીની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ઉત્તર પ્રદેશના બાગેશ્વરમાં આવેલું છે.
ભીમકાલી હિમાચલ

શિમલાથી આશરે 180 કિમી દૂર સરાહના વ્યાસ નદી પાસે ભીમકાલી મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે, અહી કાલીમાતાના કાન પડ્યા હતા. તેથી આ મંદિર પર શકિતપીઠ પૈકીનું એક મંદિર છે. અહી દેવીએ ભીમનું રુપ લઈને અસુરોનો નાશ કર્યો હતો. તેથી તે ભીમકાલીથી અહીં ઓળખાય છે. આ સિવાય કાલીમાતાના બીજા મંદિર ગોવાના નોર્થ ગોવામાં આવેલું છે. બીજુ જાણીતું મંદિર કર્ણાટકના બેલગામમાં આવેલું છે. ત્યાર બાદ પંજાબ અને ચંદીગઢ અને કાશ્મીરમાં કાલીમાતાના મંદિર છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2LQW7yq
No comments:
Post a Comment