તાહિરાએ કર્યો ખુલાસોઃ

આજે આયુષ્માન ખુરાનાની ગણતરી બોલિવુડના ટોપ એક્ટર્સમાં થાય છે. ગયા વર્ષે તેની બંને ફિલ્મ અંધાધૂન અને બધાઈ હો સુપરહિટ રહી હતી. આયુષ્માનની પત્ની તાહિરા કેન્સર સામે જંગ લડી રહી છે. બંને પતિ પત્ની ખરાબ સમયમાંથી પસાર થયા છે. તાહિરાએ એક ઈન્ટરવ્યુમાં આયુષ્માનને લઈને ખુલાસા કર્યા હતા.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
લગ્ન જીવનમાં આવ્યા ઉતાર ચડાવઃ

આયુષ્માનને 16 વર્ષની ઉંમરે જ તાહિરા સાથે પ્રેમ થઈ ગયો હતો. 12 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ 2008માં બંનેએ લગ્ન કરી લીધા હતા. તાહિરાએ જણાવ્યું કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તે આયુષ્માનને ડિવોર્સ આપી દેવા માંગતી હતી.
કિસ કરવાથી હતી પરેશાનીઃ

ઈન્ટરવ્યુમાં તાહિરાએ જણાવ્યું, “મને આયુષ્માન સ્ક્રીન પર કોઈને કિસ કરે તો પરેશાની થતી હતી. એ સમયે મને બહુ વિચિત્ર લાગતું હતું. એ સમયે હું પ્રેગનેન્ટ હતી તો હોર્મોન્સ ઉપર નીચે થાય છે. આયુષ્માન પાસે મને ધીરજથી સાંભળવાનો ટાઈમ નહતો અને મારી પાસે તેને સમજવાની ધીરજ નહતી.”
કપરો હતો સમયઃ

તાહિરાએ કહ્યું કે, “અમે સાથે રહીને પણ એકબીજાની પાસે નહતા. તે સમજતો હતો કે મને ખોટું લાગી જશે. હું જાણતી હતી કે તે મને છેતરતો નથી પરંતુ મારે બસ એક કળાકારની કળાને સમજવાની હતી.”
કેન્સરની લડાઈ સાથે લડ્યાઃ

તાહિરાએ જણાવ્યું કે, “મારા જીવનમાં એવો પણ સમય આવ્યો કે હું આ સંબંધને પૂરો કરી દેવા માંગતી હતી. મેં મન પણ બનાવી લીધું હતું. મને લાગતુ હતું કે આ સંબંધને આગળ નહિ વધારી શકુ. મેં અનેક વાર હાથ ઊંચા કરી દીધા પણ આયુષ્માને ક્યારેય નહિ. તેણે ક્યારેય મારા હાથ ન છોડ્યા. અમે કેન્સરની લડાઈ લડી અને બંનેએ સાથે મળીને જીતી લીધી.”
from Page Array – I Am Gujarat http://bit.ly/2LLVc2f
No comments:
Post a Comment