દુષ્કર્મનો છે આરોપ

મુંબઈઃ ટીવી એક્ટર કરણ ઓબેરોય સામે કથિત દુષ્કર્મ મામલે મુંબઈ દિંડોશી સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી છે. કોર્ટે બન્ને પક્ષ તરફથી તર્કબદ્ધ દલીલોની લાંબી સુનાવણી પછી આ નિર્ણ આપ્યો છે. એક મહિલા તરફથી દુષ્કર્મની ફરિયાદ કર્યા પછી પોલીસે એક્ટરની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવે છે કે એક્ટર પર આરોપ લગાવનાર મહિલા 2016થી તેની સાથે રિલેશનશીપમાં હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કરણ ઓબેરોયે કર્યો હતો આ દાવો

આ મામલો #MenToo મૂવમેન્ટનો પણ ભાગ બન્યો છે. એક્ટર કરણ ઓબેરોયનો દાવો છે કે તે નિર્દોષ છે અને મહિલા તરફથી તેને કોઈપણ કારણ વગરનો ફસાવવામાં આવ્યો છે. કોર્ટમાં ઓબેરોયના વકીલ દિનેશ તિવારીએ કહ્યું કે એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.
વકીલે કરી હતી જામીનની રજૂઆત

આ ઉપરાંત દિનેશ તિવારીએ ઉમેર્યું હતું કે, બન્ને વચ્ચે જે પણ થયું હતું તે સહમતિથી થયું હતું. આટલું જ નહીં મહિલા અને એક્ટર વચ્ચે થયેલી ટેક્સ્ટ મેસેજની આપલેથી પણ આ જ વાત સાબિત થાય છે. ઓબેરોયના વકીલે તેની જામીનની રજૂઆત કરતા કોર્ટને કહ્યું હતું કે પીડિત પક્ષ તરફથી જે સબૂત રજૂ કરવામાં આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મામલો દુષ્કર્મનો નથી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2YvZ8WD
No comments:
Post a Comment