Latest

Wednesday, May 8, 2019

નરેન્દ્ર મોદીને દુર્યોધન નહીં, જલ્લાદ કહોઃ રાબડી દેવી

પટનાઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘દુર્યોધન’ કહ્યા પછી હવે આ વિવાદમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પણ કૂદી પડ્યા છે. રાબડી દેવીએ કહ્યું કે, ‘વડાપ્રધાન પીએમ મોદીને પ્રિયંકાએ દુર્યોધન કહીને ખોટું કર્યું છે. તેમણે તો મોદીને જલ્લાદ કહેવા જોઈએ.’

 

રાબડી દેવીએ કર્યા પ્રહાર
પ્રિયંકા ગાંધીના નિવેદન પર રાબડી દેવીએ કહ્યું કે,’તેમણે (પ્રિયંકા) દુર્યોધન કહીને ખોટું કર્યું છે. બીજી ભાષા બોલવી જોઈએ એમને. તેઓ દરેક જલ્લાદ છે, જલ્લાદ. જે જજ અને પત્રકારને પણ મારી શકે છે, ઉઠાવી જાય છે. આવા વ્યક્તિના મન અને વિચાર કેવા હશે, ખૂંખાર હશે.’ નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર એક કહેવા પર પ્રિયંકા ગાંધીએ તેમની સરખામણી દુર્યોધન સાથે કરી હતી.

શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ?
પ્રિયંકા ગાંધીએ હરિયાણાના અંબાલામાં રેલી દરમિયાન નામ લીધા વગર જ પીએમ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરતાં રાષ્ટ્ર કવિ રામધારી સિંહ ‘દિનકર’ની કાવ્ય પંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,’ચૂંટણીના પ્રચારમાં બીજેપીના નેતાઓ એ ક્યારેય નથી કહેતાં કે તેમણે જે પણ વાયદાઓ કર્યા હતાં તે પૂરા થયા કે નહીં. કયારેક શહીદોના નામે તો ક્યારેક મારા પરીવારના શહીદ સભ્યોનું અપમાન કરીને વોટ માગે છે. તેમણે મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે.’

બીજેપીએ પણ કર્યો પલટવાર
પ્રિયંકા ગાંધીએ એ પણ કહ્યું હતું કે, ચૂંટણી કોઈ એક પરિવાર અંગે નથી. તે દરેક પરિવાર વિશે છે. જેમની આશા આ વડાપ્રધાને સમગ્ર રીતે તોડી નાખી છે. દુર્યોધન સાથે પીએમની સરખામણી પર બીજેપીએ પણ પલટવાર કર્યો છે. પશ્ચિમ બંગાળની રેલીમાં બીજેપી ચીફ અમિત શાહે કહ્યું કે પ્રિયંકાએ મોદીની તુલના દુર્યોધન સાથે કરી છે. દુર્યોધન કોણ અને અર્જુન કોણ, 23 મે (કાઉન્ટિંગ)ના રોજ સાબિત થઈ જશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2H71eFn

No comments:

Post a Comment

Pages