Latest

Friday, May 10, 2019

ઇક્વિટી મ્યુ. ફંડમાં મૂડીપ્રવાહ ઘટ્યો



69267043

રાજેશ નાઈડુ

ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપ

ઇક્વિટીમાં સતત વધતા જતા ઈનફ્લોના કારણે શેરબજારમાં છેલ્લાં બે વર્ષથી રોકાણકારોને ઘટાડા સામે રક્ષણ મળતું હતું પરંતુ હવે મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીપ્રવાહ ઘટી રહ્યો છે. મ્યુ ફંડના સંગઠન એમ્ફીના આંકડા પ્રમાણે એપ્રિલમાં ઇક્વિટીમાં રોકાણ ₹4,608 કરોડ હતું જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે.

ચાલુ વર્ષે માર્ચમાં ચોખ્ખો મૂડીપ્રવાહ ₹9,014 કરોડનો હતો જેની સામે એપ્રિલમાં 42 ટકાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષના એપ્રિલ સાથે તુલના કરવામાં આવે તો આંકડા આશ્ચર્યજનક છે. એપ્રિલ 2018માં ₹10,724 કરોડનો ચોખ્ખો ઈનફ્લો હતો જેમાં એક વર્ષમાં 75 ટકાનો ઘટાડો થયો છે.

આમ છતાં રિટેલ રોકાણકારોએ તેમના રોકાણમાં એક પ્રકારે સાતત્ય જાળવી રાખ્યું છે અને એસઆઇપી દ્વારા કરવામાં આવતું રોકાણ આ બાબતનો પુરાવો છે. એમ્ફીના જણાવ્યા પ્રમાણે રિટેલ રોકાણકારોની ઇક્વિટી એસઆઇપી બૂકમાં બે ટકાનો વધારો થયો છે અને એપ્રિલમાં એસઆઇપી દ્વારા રોકાણ ₹8,238 કરોડ થયું હતું.

ગયા વર્ષના એપ્રિલની સાથે સરખામણી કરવામાં આવે તો એસઆઇપી બૂકમાં 17.8 ટકાનો વધારો થયો છે. તેના પરથી એવું માની શકાય કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (એચએનઆઇ) દ્વારા લમ્પસમ વેચાણ કરવામાં આવ્યું હશે જેના કારણે ઇક્વિટીમાં ઈનફ્લોમાં ઘટાડો થયો હશે.ચૂંટણીને લગતી અનિશ્ચિતતાના કારણે નફાવસૂલી થઈ હોવાથી પણ ઇક્વિટીમાં મૂડીપ્રવાહ ઘટ્યો છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2PTBfVI

No comments:

Post a Comment

Pages