સનમ મીરચંદાની
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના ગઠબંધનના વિજયની ઊંચી શક્યતા સાથે ભારતના બજારમાં આવેલી નવેસરની મજબૂતાઈ સામે હવે પડકાર ઊભો થયો છે. રોકાણકારો રાજકીય રીતે બદલાતી સ્થિતિ સાથે વિવિધ રિઝલ્ટની ફરી ચકાસણી કરી રહ્યા છે.
રોકાણકારોમાં એવો સલાહ ઊભો થઈ રહ્યો છે કે આર્થિક નરમાઈ, કોર્પોરેટ અર્નિંગના અભાવ. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને અમેરિકા-ચીન વેપારયુદ્ધ જેવાં પરિબળો વચ્ચે ભારતના બજારનું પ્રીમિયમ વેલ્યુએશન વાજબી છે કે નહીં.
ચૂંટણીના રિઝલ્ટની અનિશ્ચિતતાની અસરથી બજારમાં સ્પષ્ટ દેખાય છે, કારણ કે શુક્રવાર સુધીનાં સતત આઠ સેશનમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો, જે ફેબ્રુઆરી પછીની સૌથી લાંબી પીછેહટ છે.
મોદી સત્તા પર પરત આવશે તેવી ધારણાથી પહેલી માર્ચથી બજારમાં તેજી ચાલુ થઈ હતી. જોકે હવે રોકાણકારો નફો બૂક કરી રહ્યા છે. માર્ચ પછીથી વિદેશી ફંડ્સે ₹54,000 કરોડનું રોકાણ કર્યું હતું, જે જાન્યુઆરી પછીના ₹69,000 કરોડના કુલ નાણાપ્રવાહના 78 ટકા છે. વિદેશી ફંડ્સનો રસ પણ ઘટી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તેમણે ₹2,500 કરોડની વેચવાલી કરી છે.
અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ બજારમાં ઘટાડાના ટ્રેન્ડનું ટ્રિગર બન્યું હતું. છેલ્લાં આઠ સેશનમાં નિફ્ટીમાં આશરે ચાર ટકાનો ઘટાડો થયો હતો અને બીએસઇની કંપનીઓના માર્કેટ-કેપ આશરે ₹6 લાખ કરોડનું ધોવાણ થયું છે.
મોતીલાલ ઓસ્વાલ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રજત રાજગઢિયાએ જણાવ્યું હતું કે, “અમેરિકા-ચીન ટ્રેડવોરથી વિશ્વભરના બજારમાં કરેક્શન આવ્યું છે. એડલવાઇઝના કો-હેડ (ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટી) શિવ દીવાને જણાવ્યું હતું કે, “જો ચીન તેના ચલણનું અવમૂલ્યન કરશે તો તેનાથી ભારત સામે પણ જોખમ ઊભું થશે, કારણ કે ચીનની નિકાસ વધુ સસ્તી થશે અને ભારતની પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મકતામાં ઘટાડો થશે.”
ક્રૂડ અને રૂપિયોના મોરચે પણ સાનુકૂળ સ્થિતિ નથી. દીવાને જણાવ્યું હતું કે, “70ના સ્તરે રૂપિયો કમ્ફર્ટેબલ નથી અને ઇરાન સામે પ્રતિબંધથી તેમાં વધુ ઘટાડો થશે તો તેનાથી વધુ અસર થશે.” ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ 10 ડોલરના વધારાથી ભારતની ચાલુ ખાતાની ખાધમાં 0.4 ટકા વધારો થાય છે. ક્રૂડ ઓઇલના ભાવ 2019માં આશરે 30 ટકા વધ્યા છે.
19 ફેબ્રુઆરીના નીચા સ્તરથી સેન્સેક્સ અને નિફ્ટીમાં 18 એપ્રિલ સુધીમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો. 26 ફેબ્રુઆરી પાકિસ્તાન સામેના હવાઈ હુમલા પછી બજારે નવું શિખર બનાવ્યું હતું. સેન્સેક્સ 39,487.45 અને નિફ્ટી 11,856.15ની ટોચે પહોંચ્યા હતા. પડોશી દેશ સાથેની તંગદિલીથી સટ્ટાબજારે પણ ભાજપની બેઠકની સંખ્યા 220-230થી વધારીને 250-260 કરી હતી.
જોકે હવે સટ્ટા બજારને ભાજપ 220-230 બેઠકો જીતે તેવો અંદાજ છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના કો-હેડ સંજીવ પ્રસાદે જણાવ્યું હતું કે, “લોકો ચૂંટણીના રિઝલ્ટ અંગે પણ ચિંતિત છે, કારણ કે સટ્ટા બજાર પ્રિ-પોલ સરવે મુજબ હવે આગાહી કરી રહ્યા નથી.”
ચોથા ક્વાર્ટરના કન્ઝ્યુમર કંપનીઓના રિઝલ્ટથી પણ એવી ચિંતા જન્મી છે કે આર્થિક નરમાઈ તીવ્ર બની રહી છે. કન્ઝ્યુમર અને ઓટો કંપનીઓનાં રિઝલ્ટ નિરાશાજનક રહ્યાં છે. જો અર્થતંત્ર ધીમું પડી રહ્યું હોય તો બજારનું હાલનું 18.5 ગણું વેલ્યુએશન મોંઘું છે. એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે આ તમામ પરિબળોથી માત્ર સ્થિર સરકાર બજારની તેજી માટે પૂરતી નથી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2vRYWVp
No comments:
Post a Comment