દયાબેન માટે કરાશે ઓનલાઈન વોટિંગ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની વાપસીને લઈને સસ્પેન્સ યથાવત્ છે. આ રોલ ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણી દીકરીને જન્મ આપ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી શોમાંથી ગાયબ છે. ત્યારે હવે તે પરત ફરશે તેવી કોઈ પણ શક્યતાને ન જોતા શોના પ્રોડ્યૂસર ઓનલાઈન વોટિંગ દ્વારા દર્શકોનો મત જાણશે કે તેઓ દયાબેન તરીકે કોને જોવા માગે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘દર્શકો નક્કી કરશે’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદીએ ઝૂમ ટીવી સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, અત્યારે દયાબેન વિશે બોલવું થોડું અઘરું છે. આ એક પ્રક્રિયા છે. હું ઓનલાઈન દર્શકો પાસેથી મત માગીશ કે તેઓ દયાબેનના રોલમાં કોને જોવા માગે છે.
‘દયા ભાભી શોમાં પરત ફરશે તે નક્કી’

અસિત મોદીએ કહ્યું કે, અમે જે પણ નિર્ણય લઈશું તેને દર્શકો પસંદ કરશે. જો કે આ માટે થોડો ટાઈમ છે. હજુ થોડા એપિસોડ દયાબેન વગર બતાવવા પડશે. જો કે હું એટલું ચોક્કસ કહીશ કે દયા ભાભી શોમાં જરૂર પરત ફરશે.
‘દર્શકોને અમારા નિર્ણય પર વિશ્વાસ છે’

અસિત મોદીએ વાતચીતમાં કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે અમે જે પણ નિર્ણય લઈશું, દર્શકો તેના પર વિશ્વાસ કરશે. જો કે હજુ કઈ નક્કી નથી. પરંતુ શક્યતા કંઈ પણ હોય શકે છે. અમને સારા આર્ટિસ્ટ જોઈએ છે. દયા ભાભી સીરિયલની હીરોઈન છે. જો તે પરત ફરશે તો સોનામાં સુગંધ ભળશે’.
દિશા વાકાણી અંગે શું કહ્યું?

દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું કે, ‘હું તેમને પણ રિક્વેસ્ટ કરૂં છું કે તે શોમાં પરત ફરે. અમારા દર્શકો પણ એમ જ ઈચ્છે છે. આ શો અમારો નહીં દર્શકોનો છે. અમારે આશા રાખવી જોઈએ, પરંતુ જો તે પરત ફરવા નથી માગતી તો શો મોટો છે. શો કોઈના માટે રોકાતો નથી’.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2VQpeGh
No comments:
Post a Comment