Latest

Friday, May 3, 2019

ઉનાળામાં માટલાનું પાણી છે અમૃત, પણ માટલું ખરીદવામાં આટલું ધ્યાન રાખજો

માટલાના પાણીની વાત જ કંઈક અલગ છે

ઉનાળામાં જ્યારે તરસ લાગે છે તો, ઠંડું પાણી પીવાની ઈચ્છા થાય છે. આમ તો આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ફ્રિજ હોય છે, જેમાં સરળતાથી પાણી ઠંડુ થઈ જાય છે. પરંતુ દેશી ફ્રિજ કહેવાતા માટલાના પાણી વાત જ કંઈક અલગ છે. માટલાનું પાણી ફ્રિજના પાણી કરતા ઘણા પ્રકારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તજજ્ઞો મુજબ, માટીમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. એટલે, માટલામાં ભરેલું પાણી આપણને સ્વસ્થ રાખે છે. માટલાનું પાણી પીવાના બીજા પણ ઘણાં ફાયદા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

નિયમિત રીતે માટલાનું પાણી પીવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે

એવું પણ જાણવા મળ્યું છે કે, માટલાનું પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન એટલે કે મેલ સેક્સ હોર્મોનનું સ્તર વધે છે.

પાણીમાં PHનું સંતુલન

માટલાનું પાણી માટીમાં રહેલા ક્ષારના ગુણની એસિડિટી સાથે પ્રભાવિત થઈ યોગ્ય PH સંતુલન પ્રદાન કરે છે.

એસિડિટીથી છૂટકારો

આ પાણી પીવાથી એસિડિટી ઓછી થવાની સાથે પેટના રોગોમાં પણ રાહત મળે છે.

ગળાની તકલીફો નથી થતી

ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી ગળાની કોશિકાઓનું તાપમાન અચાનક ઘટી જાય છે અને ગળું ખરાબ થાય છે. જ્યારે માટલાનું પાણી ગળાને સ્મૂથ રાખે છે.

યોગ્ય દેખરેખ જરૂરી

– માટલામાં રાખેલું પાણી લાંબો સમય ઠંડુ રહે તે માટે તેને એવી જગ્યાએ રાખો કે જ્યા તે વધારે હલચલ ન કરે. તેને સ્ટેન્ડ પર મૂકો. સાથે જ તેને ઠાંકવા માટે માટીના ઢાંકળાનો જ ઉપયોગ કરો.

– માટલાને હંમેશાં એવી જગ્યાએ રાખો જ્યાં છાંયડો હોય અને હવા પણ આવતી રહે.

– જો માટલું ખુલ્લામાં રાખ્યું છે તે તેને કોટનના ભીના કપડાંથી ઢાંકીને રાખો. તેનાથી પાણી ઠંડું રહેશે અને અંદર કોઈ જીવડું પણ નહીં જાય.

– આમ તો માટલાનું પાણી રોજ બદલવું જોઈએ. પરંતુ જો શક્ય હોય તો તેમાં ભરેલા પાણીનો એક સપ્તાહથી વધારે ઉપયોગ ન કરવો જોઈએ. એક સપ્તાહમાં કોઈપણ સ્થિતિમાં પાણી બદલી નાંખવું જોઈએ.

આ રીતે કરો માટલાની સફાઈ

– ઘણી વખત માટલામાં ક્ષાર જામી જાય છે. તેને સ્ક્રબ બ્રશથી સાફ કરો. ક્ષાર સાફ કરવા માટે ઠંડુ કે હુંફાળું પાણી ઉપયોગ કરી શકાય.

– માટલાને સાફ કરતી વખતે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. ચોખ્ખા હાથને માટલાની અંદર નાંખી તેની અંદરની બાજુને સાફ કરો. બાદમાં હુંફાળા પાણીથી વીછળી લો. માટલાને તડકામાં સૂકવવા મૂકો. સૂકાઈ જાય પછી પાણી ભરી લો.

માટલું ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો

– માટલું ખરીદતી વખતે સિક્કાથી તેને હળેવીથી ટકારો મારીને જુઓ. જો તેમાં ‘ટન’નો અવાજ આવે તો સમજી લેવું કે માટલું તૂટેલું-ફૂટેલું નથી.

– કોઈપણ પ્રકારના માટલા પર જો કોઈ ચમક દેખાય તો તેને ન ખરીદો. પારંપરિક રીતે પકવેલા માટલા પર કોઈ ચમક નથી હોતી. એવી ચમક માટે રંગ કે વાર્નિશનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આવા માટલામાં ભરેલા પાણીમાંથી વિચિત્ર પ્રકારની વાસ પણ આવે છે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2DLdaMe

No comments:

Post a Comment

Pages