કેમ તૂટ્યા પ્રિયંકાના ભાઈના લગ્ન?

મુંબઈઃ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના ઈશિતા કુમાર સાથે લગ્ન થવાના હતા. બંનેની રોકા સેરેમની પણ થઈ ગઈ હતી. જોકે થોડા દિવસો પહેલા આ લગ્ન તૂટી ગયા. લગ્ન તૂટવાની વાતને મધુ ચોપરાએ કન્ફર્મ કરી હતી. હવે મધુ ચોપરાએ લગ્ન તૂટવાનું કારણ જણાવ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઉતાવળમાં નક્કી થયા લગ્ન

વેબસાઈટ સ્પોટબોય સાથે વાતચીતમાં પ્રિયંકા ચોપરાની મા ડોક્ટર મધુ ચોપરાએ કહ્યું કે, મારો દીકરો સિદ્ધાર્થ હાલ લગ્ન માટે તૈયાર નહોતો. તેણે સમજાવ્યું કે તેને થોડો વધારે સમય જોઈએ. વેબસાઈટના સૂત્રો મુજબ આ અરેન્જ મેરેજ ઉતાવળમાં નક્કી કરાયા હતા.
લગ્ન માટે તૈયાર નહોતો સિદ્ધાર્થ

મધુ ચોપરાએ આ પહેલા પિંકવિલા સાથે વાત કરતા કહ્યું હતું કે, ઈશિતા અને સિદ્ધાર્થે એકબીજાની સહમતિથી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે મધુ ચોપરાએ લગ્ન તૂટવા પાછળનું કારણ નહોતું જણાવ્યું.
લગ્ન તૂટતા બંનેએ એકબીજાને અનફોલો કર્યા

પ્રિયંકા ચોપરા ભાઈ સિદ્ધાર્થની રોકા સેરેમની માટે ભારત આવી હતી. પ્રિયંકાએ સિદ્ધાર્થ ચોપરા અને ઈશિતાના રોકા સેરેમનીની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જોકે લગ્ન તૂટતા પ્રિંયકાએ ઈશિતાને અનફોલો કરી દીધી. લગ્ન તૂટ્યા બાદ સિદ્ધાર્થ અને ઈશિતાએ પણ એકબીજાના સોશિયલ મીડિયા પર અનફોલો કરી નાખ્યા તથા ઈન્સ્ટાગ્રામ પરથી તસવીરો ડિલિટ કરી નાખી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2V2WCF9
No comments:
Post a Comment