શોમાં ફરી આવવા માગે છે દિશા?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમયથી દિશા વાકાણીના પરત ફરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સપ્ટેમ્બર 2017થી દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. નિર્માતાઓએ લાંબા સમય સુધી એક્ટ્રેસની રાહ જોઈ પરંતુ દિશા પાછી ન આવતા નવા દયાબેનની શોધખોળ શરૂ કરી. થોડા દિવસ પહેલા પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું હતું કે, દિશા ઈચ્છે તો પાછી આવી શકે છે. હવે સમાચાર છે કે દિશા વાકાણીએ શોમાં પરત આવવા માટે પહેલ કરી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
દિશાએ કર્યો પ્રોડક્શન હાઉસનો સંપર્ક

સ્પોટબોયના રિપોર્ટ મુજબ, દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિનો સંપર્ક કર્યો છે. એટલે આ રીતે એક્ટ્રેસ નિર્માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. જો દિશા વાકાણી શોમાં પાછી આવી તો સીરિયલના ફેન્સ માટે આનાથી મોટી ખુશી બીજી શું હોઈ શકે.
પતિ પણ ઈચ્છે છે દિશા શોમાં કામ કરે!

આમ તો દિશા વાકાણી અને નિર્માતા વચ્ચે તકરારનું કારણ એક્ટ્રસના પતિ મયૂર પડિયાને માનવામાં આવે છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, મયૂરે પ્રોડક્શન હાઉસ સાથે દિશાના શૂટિંગ ટાઈમ અને ફી નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો. દિશા વાકાણીના પતિનો હસ્તક્ષેપ પ્રોડક્શન હાઉસને પસંદ ન આવ્યો. એટલે જ દિશા અને નિર્માતા વચ્ચે વિવાદ વધ્યો. જો કે પ્રોડક્શન હાઉસે નવા દયાબેનની શોધ શરૂ કરતાં દિશાના પતિનું વલણ નરમ બન્યું. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે દિશાના બદલે દયાબેનનો રોલ કોઈ બીજી હીરોઈન કરશે. એવામાં હવે મયૂર પણ ઈચ્છે છે કે દિશા શોમાં વાપસી કરે.
થોડા દિવસ પહેલા આસિત મોદીએ કહ્યું હતું…

દિશા વાકાણીના રોલ માટે ઘણી જાણીતી એક્ટ્રેસે પ્રોડ્યુસરનો સંપર્ક કર્યો છે. જો કે, આસિત મોદીનું કહેવું છે કે, જો દિશા શોમાં ફરીથી આવવા માગે તો તેના માટે દરવાજા ખુલ્લા છે. નહીં આવે તો નવી હીરોઈનની શોધ તો ચાલુ જ છે. થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે, એક્ટ્રેસ અમી ત્રિવેદીનો દયાબેનનો રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2PPVMue
No comments:
Post a Comment