Latest

Thursday, May 23, 2019

સચિને ટીમ ઈન્ડિયાને મહત્વની સલાહ, વિરાટસેના અમલ કરે તો વર્લ્ડકપ પાક્કો

‘કોહલી એકલો વર્લ્ડકપ ન જીતાડી શકે’

નવી દિલ્હી: સતત સારું પ્રદર્શન કરતા રહેવું અને રોજ નવા રેકોર્ડ સ્થાપિત કરવા વિરાટ કોહલીની આદત બની ગઈ છે પણ ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંદુલકરનું માનવું છે કે, તે એકલો વર્લ્ડકપ ન જીતાડી શકે અને અન્ય સાથી ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. તેંદુલકરે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની ભૂમિકા, બેટિંગક્રમમાં ચોથો નંબર અને ઈંગ્લેન્ડની સપાટ પિચો પર બોલર્સની સ્થિતિ વિશે ખુલીને વાત કરી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વિરાટ પર સચિન જેવું જ પ્રેશર હશે?

જ્યારે પૂછવામાં આવ્યું કે, શું વિરાટ પર એ જ રીતનું દબાણ હશે જેવું તેના પર 1996, 1999 અને 2003ના વર્લ્ડકપમાં હતું? ત્યારે સચિને જવાબમાં કહ્યું કે, ‘તમારી પાસે દરેક મેચમાં સારું પ્રદર્શન કરનારા કેટલાક ઉમદા ખેલાડીઓ હોય છે, પણ ટીમના સપોર્ટ વિના તમે કઈ કરી શકતા નથી. એક ખેલાડીના દમ પર ટૂર્નામેન્ટ ન જીતી શકાય, બિલકુલ નહીં. બીજા ખેલાડીઓને પણ મહત્વના તબક્કે પોતાની ભૂમિકા ભજવવી પડશે. એવું ન કરવા પર ટીમને નિરાશા જ મળશે.’

ચોથા નંબરે કોણ રમશે?

ભારતીય ટીમમાં નંબર-4 પર કોણ રમશે તે હજુ નક્કી નથી પણ સચિને કહ્યું કે, મેચની સ્થિતિ અનુસાર આના પર નિર્ણય લઈ શકાય છે. તેણે કહ્યું, ‘આપણી પાસે એવા બેટ્સમેન છે જે આ ક્રમ પર રમી શકે છે. તે એક ક્રમ જ છે અને તેમાં લચીલાપણું હોવું જોઈએ. મને આ કોઈ સમસ્યા લાગતી નથી. આપણા ખેલાડીઓએ એટલું ક્રિકેટ રમ્યું છે કે, કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે છે.’

બેટ્સમેનોની વધતી ભૂમિકાથી લિટલ માસ્ટર નિરાશ

જોકે, તેંદુલકરે વન-ડે ક્રિકેટમાં બેટ્સમેનોની વધતી જતી ભૂમિકા પર નિરાશા વ્યક્ત કરી. તેણે કહ્યું, ‘બે નવા બોલ આવવાથી અને સપાટ પિચોને કારણે બોલર્સની હાલત ખરાહ થઈ ગઈ છે. એક ટીમ 350 રન બનાવી રહી છે અને બીજી 45 ઓવરમાં જ તે ચેઝ કરી નાખે છે.’ સચિનનો ઈશારો તાજેતરમાં જ ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન-ડે સીરિઝ તરફ હતો.

રિસ્ટ સ્પિનર્સની ભૂમિકા મહત્વની

તેણે કહ્યું, ‘આના પર વિચાર થવો જોઈએ. બે નવા બોલ લેવા હોય તો બોલર્સને મદદરૂપ પિચો બનાવવી જોઈએ અથવા એક નવા બોલની જૂની સિસ્ટમ જ લાગુ રહે, જેમાં રિવર્સ સ્વિંગ તો મળતી હતી.’ તેંદુલકરે એ પણ કહ્યું કે, રિસ્ટ સ્પિનરર્સની ભૂમિકા ટૂર્નામેન્ટમાં મહત્વની રહેશે. ભારતની પાસે ચહલ અને યાદવના રૂપે આવા બે મહત્વના સ્પિનર્સ છે, જોકે, તેઓ ઑસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં એટલા પ્રભાવી રહ્યાં નહીં.

યાદવ-ચહલ પાસેથી સચિનને આશા

તેણે કહ્યું, ‘એવા ઘણા બેટ્સમેન છે જેમને બેટ્સમેનો સારી રીતે પારખી લે છે પણ છતાં તેમને વિકેટો મળે છે. કુલદીપ અને ચહલને ઑસ્ટ્રેલિયા સિરીઝ અંગે વધારે ચિંતા કરવાની જરૂર નથી.’ તેણે મુથૈયા મુરલીધરનનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘મુરલી ઑફ બ્રેક અને દૂસરા ફેંકતો હતો. બેટ્સમેન તેને પરખી લે તો પણ તેને વિકેટો મળતી હતી.’



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VXX5Om

No comments:

Post a Comment

Pages