દાવો

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રાહુલ ગાંધીની અમેઠીમાં હાર બાદ પંજાબ સરકારમાં મંત્રી એવા નવજ્યોત સિંઘ સિદ્ધુનું રાજીનામું માગવાનું શરુ કર્યું છે. આ જ કારણસર સિદ્ધુ ટ્વીટર પર ટ્રેન્ડ પણ કરી રહ્યા હતા. કેટલાક લોકો ઈકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ પણ શેર કરી રહ્યા છે કે જેમાં સિદ્ધુને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારશે તો હું રાજકારણ છોડી દઈશ. ટાઈમ્સ ફેક્ટ ચેકને એક વાંચકે Whatsapp પર પૂછ્યું કે શું સિદ્ધુએ ખરેખરમાં આવી કોઈ જાહેરાત કરી હતી? વાંચકે પણ અમારી સાથે ઈકોનોમિક ટાઈમ્સના સમાચારનો એ જ સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જે હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ ઘણા બધા મીમ્સ ફરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોને સિદ્ધુ અંગે ઈકોનોમિક ટાઈમ્સનો જે સ્ક્રીનશોટ શેર કરાઈ રહ્યો છે તે છેડછાડ કરાયેલો હોઈ શકે એમ લાગી શકે છે.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
હકીકત

હા, એપ્રિલ 2019માં સિદ્ધુએ એવી જાહેરાત કરી હતી કે જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી હારી જશે તો તે રાજકારણ છોડી દેશે. અમેઠીમાં રાહુલનો મુકાબલો સ્મૃતિ ઈરાની સાથે હતો. તે સમયે સિદ્ધુએ તો સ્મૃતિ રાહુલને આકરી ટક્કર આપી રહ્યા છે તેવા દાવાને પણ ફગાવી દીધો હતો.
ફેક્ટ ચેકની મેથડોલોજી

ગૂગલ પર ‘Navjot Singh Sidhu quit politics Rahul Gandhi loses’ સર્ચ કરો તો એવા અનેક સમાચાર મળી જશે કે જેમાં સિદ્ધુએ આપેલા આ નિવેદનનું રિપોર્ટિંગ કરાયું હોય. જેમાં ઈકોનોમિક ટાઈમ્સનો જે સ્ક્રીનશોટ હાલ શેર કરાઈ રહ્યો છે તે સમાચાર પણ સરળતાથી મળી જશે.
તારણ

સિદ્ધુનો રાજકારણ છોડવાના નિવેદન અંગેનો વાયરલ થયેલો મેસેજ જે સ્ક્રીનશોટ સાથે ફરી રહ્યો છે તે સાચો છે. સિદ્ધુએ પોતે જ એવું નિવેદન આપ્યું હતું કે જો અમેઠીમાં રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે લોકસભઆ ચૂંટણી હારી જશે તો પોતે રાજકારણ છોડી દેશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2M856LX
No comments:
Post a Comment