નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન મોદી અને ભાજપે આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. પરિણામ અને ટ્રેન્ડમાં ભાજપે એકલા હાથે 300નો આંકડો પાર કર્યો છે. 2014માં પણ વિરોધ પક્ષના સુપડા સાફ થયા હતા અને આ વખતે પણ તેવું જ થયું છે. વડાપ્રધાન મોદીએ જીતને 130 કરોડ દેશવાસીઓને સમર્પિત કરી છે. ભાજપને મળેલી મોટી સફળતા માટે નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને દેશ-વિદેશથી મોદીને શુભેચ્છાઓ મળી રહી છે, આ બધાની વચ્ચે મોદી અને શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપની ભવ્ય જીત બાદ અડવાણી અને જોશીના આશીર્વાદ લીધા છે. સૌથી પહેલા મોદી અને શાહ અડવાણીને મળવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ અડવાણીને મળ્યા પછી તેમની પ્રશંસા કરીને મોટી વાત કહી.
નરેન્દ્ર મોદીએ અડવાણીને મળ્યા પછી ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપની આજની સફળતા એટલા માટે શક્ય બની છે, કારણ કે અડવાણીજી જેવા મહાન લોકો પાર્ટીને બનાવી રાખવા માટે દાયકાઓ સુધી મહેનત કરી છે. અડવાણી સાથે મુલાકાત કર્યા પછી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિનિયર નેતા મુરલી મનોહર જોશીને મળવા માટે પહોંચ્યા હતા.
Called on respected Advani Ji. The BJP’s successes today are possible because greats like him spent decades building the party and providing a fresh ideological narrative to the people. pic.twitter.com/liXK8cfsrI
— Narendra Modi (@narendramodi) May 24, 2019
જોશીને મળ્યા પછી પણ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમની પ્રશંસા કરીને લખ્યું, ડૉ. મુરલી મનોહર જોશી એક વિદ્વાન અને બુદ્ધિજીવી છે. ભારતીય શિક્ષાને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં તેમનું યોગદાન ઉલ્લેખની ય છે. તેમણે હંમેશા ભાજપને મજબૂત કરવા માટે કામ કર્યું છે અને મારા સહિત ઘણાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે. મોદી અને શાહ આ બન્ને સિનિયર નેતાઓને મળ્યા અને તેમના આશીર્વાદ પણ લીધા.
Dr. Murli Manohar Joshi is a scholar and intellectual par excellence. His contribution towards improving Indian education is remarkable. He has always worked to strengthen the BJP and mentor several Karyakartas, including me.
Met him this morning and sought his blessings. pic.twitter.com/gppfDt7KiB
— Narendra Modi (@narendramodi) May 24, 2019
નોંધનીય છે કે, અમિત શાહ આ વખતે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા છે જે બેઠક પરથી લાલ કૃષ્ણ અડવાણી 6 વખત જીત્યા છે. હવે આ બેઠક પર અમિત શાહે ચૂંટણી લડીને અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો છે. નરેન્દ્ર મોદી પણ ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશીની બેઠક પરથી 2014માં ચૂંટણી લડ્યા હતા. આ પછી આ વખતે પણ નરેન્દ્ર મોદી ફરીથી આ વારાણસીથી ચૂંટણી લડ્યા અને તેમનો જંગી વિજય થયો છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2M85mup
No comments:
Post a Comment