મુંબઈ પર છે આ દેવીની કૃપા

દેશની આર્થિક રાજધાની અને સપનાનું શહેર કહેવાય છે મુંબઈ. આ શહેરમાં પોતાનું સ્થાન મેળવવાનું આકર્ષણ દેશના લોકોની સાથે વિદેશીઓમાં પણ જોવા મળે છે. બોલિવુડમાં સતત વધતી વિદેશી કલાકારોની સંખ્યા આ વાતની સાબિતી આપે છે. મુંબઈ શહેર વસ્યું ત્યારે શરૂઆતમાં અહીં માછીમારોની વસ્તી હતી. આ શહેરે જે સ્થાન આજે મેળવ્યું છે તેને મુંબા દેવીની કૃપા માનવામાં આવે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સમુદ્રથી મુંબઈને બચાવે છે મુંબા દેવી

આજેનું ઝળહળતું મુંબઈ શહેર એક જમાનામાં ઉજ્જડ હતું. પછી અહીં માછીમારો આવીને વસ્યા. માછીમારોએ સમુદ્રમાં આવતા તોફાનથી બચાવા માટે એક દેવીના મંદિરની સ્થાપના કરી જેને મુંબા દેવીના નામથી ઓળખવામાં આવે છે. મુંબા દેવાના નામ પરથી છે મુંબઈ શહેરનું નામકરણ થયું.
લક્ષ્મી માતાનું સ્વરૂપ

મુંબા દેવીને ધન અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આસ્થા છે કે આ માતાની કૃપાના લીધે જ મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શક્યું છે. મા મુંબા દેવીને મુંબઈની ગ્રામદેવી તરીકે પૂજવામાં આવે છે. અહીં દરેક શુભ કામ કરતાં પહેલા માતાજીની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લેવામાં આવે છે.
દરરોજ બદલાય છે વાહન

મા મુંબાનું વાહન દરરોજ બદલાય છે. કહેવાય છે કે દિવસ પ્રમાણે વાહનની પસંદગી થાય છે. સોમવારે મા નંદી પર સવાર થાય છે તો મંગળવારે હાથીની સવારી કરે છે. બુધવારે કૂકડો તો ગુરુવારે ગરુડ પર મા સવાર થાય છે. શુક્રવારે સફેદ હંસ પર તો શનિવારે ફરીથી હાથીની સવારી કરે છે. તો રવિવારે માતાનું વાહન સિંહ હોય છે.
ચાંદીના બનેલા છે માતાના વાહન

મા મુંબા દરરોજ જે વાહનો પર સવારી કરે છે તેનું નિર્માણ ચાંદીથી કરાવાયું છે. આ મંદિરમાં દરરોજ 6 વખત આરતી થાય છે. આરતીનો સમય અલગ-અલગ છે. આ દરમિયાન મંદિરની ભવ્યતા જોવા જેવી હોય છે.
આ દિવસે થાય છે ખાસ પૂજન

મા મુંબા દેવીના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. શ્રદ્ધાળુઓ મા પાસે સાચા મનથી જે માનતા માને છે તે મુંબા દેવી પૂરી કરે છે. અહીં સિક્કા પર લાકડીથી ખીલી ઠોકીને બાધા રાખવામાં આવે છે. દર મંગળવારે મુંબા દેવીના દર્શનને વિશેષ માનવામાં આવે છે. આ દિવસે અહીં ખૂબ ભીડ હોય છે.
આવી રીતે પ્રગટ થયા મા

એક લોકવાયકા અનુસાર, અષ્ટભુજા મા મુંબા દેવીને બ્રહ્માજીએ પોતાની શક્તિથી પ્રગટ કર્યા છે. જ્યારે સ્થાનિક લોકોએ મુંબારક નામના એક રાક્ષસથી પરેશાન થઈને બ્રહ્માજીને પ્રાર્થના કરી તો તેમણે મુંબા દેવીને પ્રગટ કરી રાક્ષસનો સંહાર કરાવ્યો. ત્યાર બાદ માના એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને મુંબારકનો સંહાર કરનારી માતાનું નામ મુંબા દેવી રાખવામાં આવ્યું.
from Page Array – I Am Gujarat http://bit.ly/2vU63wx
No comments:
Post a Comment