Latest

Sunday, May 12, 2019

અલવર કાંડનો ઉલ્લેખ કરીને પીએમ મોદીનો માયાવતીને પડકાર, સમર્થન પાછું ખેંચે

કુશીનગરઃ અલવરમાં પતિની સામે પત્ની સાથે ગૅંગરેપની ઘટનાનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીએસપી સુપ્રીમો માયાવતીને રાજસ્થાનમાં કોંગ્રેસને આપેલું સમર્થન પાછું ખેંચવા પડકાર કર્યો છે. રવિવાર ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ચૂંટણીસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, એક દલિતની દીકરી સાથે રાજસ્થાનના અલવરમાં સામુહિક દુષ્કર્મ થયું છે. પણ તેના પર રાજકારણ રમનારા બેનજી મૌન છે. પોતાની જ્ઞાતિઓને મુદ્દાઓને લઈને ફરી એકવખત મોદીએ માયાવતી પર શાબ્દિક પ્રહારો કર્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મગરમચ્છના આંસુ

આ ઉપરાંત પીએમ મોદીએ ગેસ્ટહાઉસ કાંડનો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે, મગરમચ્છના આંસુ ન દેખાડો. જ્યારે તમારી સાથે ખોટું થયું ત્યારે સમગ્ર દેશની મહિલાઓને એ જ પીડા થઈ હતી. હવે અલવર સામુહિક દુષ્કર્મ કેસમાં કોઈ પીડા નથી થતી? જો ખરા અર્થમાં તમે દેશની દીકરીઓ પ્રત્યે ઈમાનદાર હોવ તો આજે જ રાજસ્થાનમાં કોંગ્રેસને આપેલું સમર્થન પરત ખેંચી લો. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, કહ્યું હતું કે, આટલી સંવેદનશીલ ઘટનાને પણ કોંગ્રેસ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે.

મોઢે તાળું લાગી ગયું

નામદાર લોકોના મોઢા પર દુષ્કર્મ કરનારાઓએ તાળું મારી દીધું છે. આ મુદ્દો તેઓ કંઈ બોલતા જ નથી. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે મોદીએ ઉમેર્યું હતું કે, આ નવું ભારત છે અને તે ઘરમાં ઘુસીને મારવામાં માને છે. રવિવારની ઘટનાનો ઉલ્લેખ કરતા મોદીએ ઉમેર્યું હતું કે, હું અહીંયા આવી રહ્યો હતો ત્યારે થોડી વાર પહેલા જ સમાચાર મળ્યા કે, ભારતીય સૈન્યએ કેટલાક આતંકીઓને ફૂંકી માર્યા છે. હવે કેટલાક લોકોને મુશ્કેલી થઈ રહી છે કે, આજે ચૂંટણી છે તો આતંકીઓને શા માટે માર્યા?

ચૂંટણીપંચને પૂછવા જવું?

જ્યારે બોર્ડર પર દુશ્મન હથિયાર લઈને વાર કરી રહ્યો છે ત્યારે સૈન્યના જવાનો શું ચૂંટણી પંચને પૂછવા જાય કે, ફાયરિંગ કરું કે ન કરું? જ્ઞાતિના મુદ્દે માયાવતી પર કટાક્ષ કરતા કહ્યું કે, આજે જે લોકો મારી જ્ઞાતિનું સર્ટિફેકટ માગી રહ્યા છે, તેઓ કાન ખોલીને સાંભળી લે આમ તો હું પછાતવર્ગમાં જન્મેલો છું. હકીકતમાં દેશના ગરીબોની જે જ્ઞાતિ છે એ મારી જ્ઞાતિ છે. આવા લોકો માટે સત્તાનો અર્થ છે પોતાની તિજોરીઓ ભરવી.

અખિલેશ અને માયાવતી પર વાર

આ બંનેને કાર્યકાળમાં જોડી દેવામાં આવે તો એમનાથી વધારે કાર્યકાળ સુધી તો હું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી રહી ચૂક્યો છું અને હવે દેશનો વડા પ્રધાન છું. પણ આજે મારા પાસે કેટલા પૈસા છે એ સમગ્ર દેશને ખબર છે. આ લોકોએ સત્તાનો ખોટો ઉપયોગ કરીને હજારો કરોડો રુપિયા બનાવ્યા છે. લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર અર્થે કોઈ કસર છોડવા માગતા નથી.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2PW9Tyr

No comments:

Post a Comment

Pages