હંમેશાં તાહિરાને પડખે હોય છે આયુષ્માન

તાહિરા કશ્યપ અને આયુષ્માન ખુરાના બોલિવૂડનું સૌથી સ્ટ્રૉન્ગ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. તાહિરાની કેન્સર સામેની જંગ દરમિયાન આયુષ્માન પતિ અને સાચા સાથી તરીકે તેની સાથે ઊભો રહ્યો. ડાયગ્નોસિસથી સારવાર સુધી, તે દરેક સ્ટેજ પર પોતાની પત્નીની સાથે રહ્યો. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે તાહિરા આ સુંદર રિલેશનશિપને ખતમ કરવા માગતી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આયુષ્માનના ઑન-સ્ક્રિન કિસિંગ સામે હતો વાંધો

એક રિપોર્ટ અનુસાર, તાહિરાએ સ્વીકાર્યું હતું કે, એક સમયે તે પોતાના રિલેશનશિપને ખતમ કરવા માગતી હતી. બીજી તરફ તેને સાથી અને કલાકાર તરીકે વિકસવામાં ખૂબ સમય લાગ્યો. તાહિરાએ તે સમયને યાદ કર્યો જ્યારે તેને આયુષ્માનના ઑન-સ્ક્રીન કિસિંગથી પ્રૉબ્લેમ હતી. તેને લાગતું હતું કે, તે મોટા વ્હેલ ઘર પર બેઠી છે કારણ કે, તાહિરા તે સમયે પ્રેગ્નન્ટ હતી અને હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થઈ હતી.
ખૂટી ગઈ હતી ધીરજ

આયુષ્માન અને તાહિરા તે સમયે ખૂબ જ યંગ હતા એટલે આવામાં તેમના માટે પરિસ્થિતિઓને સામનો કરી શકવું મુશ્કેલ હતું. તાહિરા અનુસાર, આયુષ્માન પાસે સમય અને ધીરજ નહોતા કે તે તેને પોતાની સાથે લઈ જાય જ્યારે તેની પાસે આ સમજવાનું ધૈર્ય નહોતું.
ખોટુું કોઈ નહોતું પણ સમજવામાં વાર લાગી

તાહિરાનું માનીએ તો બંનેને ખબર હતી કે, આની પાછળ કોઈની ભૂલ નહોતી અને ન તો કોઈનો ખરાબ ઈરાદો હતો પણ બંનેને આ સ્થિતિનો અહેસાસ કરવામાં સમય લાગ્યો. તાહિરાએ પોતાના લગ્ન ખતમ કરવાની વાત કરી. તેણે કહ્યું કે, તેણે ઘણીવાર હાર માની લીધી પણ આયુષ્માને એવું ન કર્યું. તે ધીમે-ધીમે એક સાથી તરીકે વિકસિત થયો. તાહિરા કહે છે કે, આ સમયે તેઓ જ્યાં છે તે સૌથી બેસ્ટ છે.
ડિરેક્ટર બનવા જઈ રહી છે તાહિરા

જણાવી દઈએ કે, તાહિરા તનુજ ગર્ગ અને અતુલ કસબેકરની ફિલ્મથી ડિરેક્શનમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે જેમાં 5 યુવતીઓ હશે. તેણે ડિરેક્શન ફિલ્ડમાં આવતા પહેલા પોતાના ડર અંગે કહ્યું કે, ઘણા સમય સુધી તેણે પોતાની આ ઈચ્છા વિશે પતિને ન જણાવ્યું. તેણે કહ્યું કે, તે નહોતી ઈચ્છતી કે, એક શોર્ટ ફિલ્મ બનાવીને આયુષ્માનને શરમ અનુભવાય.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Q8lwSZ
No comments:
Post a Comment