Latest

Tuesday, May 21, 2019

હિંદુજા જેટના ટેકઓફમાં મદદ કરવા તૈયાર: ચાલુ સપ્તાહે બિડિંગની શક્યતા



69421835

સતીશ જ્હોન/અનિર્બાન ચૌધુરી

મુંબઈ:હિંદુજા જૂથ આ સપ્તાહે જેટ એરવેઝ માટે બિડની પ્રક્રિયાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. તેણે આ માટે વિમાન કંપનીના બધા હિસ્સેદારો પાસેથી મંજૂરી મેળવી લીધી છે. તેમાં નરેશ ગોયલ અને તેના વ્યૂહાત્મક રોકાણકાર એતિહાદ એરવેઝનો સમાવેશ થાય છે. હિંદુજા જૂથ દ્વારા ટૂંક સમયમાં ડ્યી ડિલિજન્સ શરૂ થશે. આ જૂથ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ સહિતના અગ્રણી બેન્કરો સાથે ડ્યૂ ડિલિજન્સ શરૂ કરવા વાતચીત કરી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જેટના સ્થાપક ગોયલ અને હિંદુજા બે દાયકા કરતાં વધારે સમયથી સારા સંબંધો ધરાવે છે. પ્રારંભિક ગણતરીઓ મુજબ તેમની લેણી નીકળતી રકમ ₹12,000 કરોડ છે. હિંદુજા માને છે કે બેન્કોએ એરલાઇનને ટકાઉ બનાવવા નોંધપાત્ર પ્રમાણમાં કાપ સહન કરવો પડશે. બેન્કો અને સ્થાપક નરેશ ગોયલ ભારતના મહાકાય જૂથને એરલાઇન બચાવવા માટે પોતાની સાથે લાવવા તૈયાર છે. પ્રારંભમાં ટાટા જૂથે એરલાઇન માટે બિડ કરવા રસ દાખવ્યો હતો, પરંતુ પછી તેણે કોઈ પણ એરલાઇનમાં રસ ધરાવતા હોવાની વાત નકારી હતી. હિંદુજાએ ભૂતકાળમાં પણ સરકારી માલિકીની એર ઇન્ડિયાના ખાનગીકરણ વખતે રસ દાખવ્યો હતો. તેણે લુફથાન્સા એરકાર્ગો સાથે જોડાણ પણ કરેલું છે.

સૌથી મહત્ત્વનું પરિબળ એ છે કે એરલાઇન પાસે સમય ઓછો બચ્યો છે. હરીફ અને વિદેશી એરલાઇન્સ જેટના કમાન્ડરો અને પાઇલટોને પોતાનામાં ખેંચી રહી છે. આ સિવાય તેના અત્યંત નફાકારક વિદેશી રૂટ પર હરીફ એરલાઇન્સોની નજર છે. આ હિલચાલ અંગે જાણકારી ધરાવતી વ્યક્તિએ કહ્યું હતું કે જેટને બચાવનારી વ્યક્તિને શોધવામાં સમય લાગશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ રોકાણકાર આવશે તેણે અમુક સ્તરનું ડ્યૂ ડિલિજન્સ કરવું પડશે, ઓડિટેડ નાણાકીય પરિણામ વગર કોઈ પણ રોકાણકાર તે સુનિશ્ચિત ન કરી શકે કે જેટના ખાતામાં કેટલું ગાબડું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કમ સે કમ 30 કમાન્ડરે ટર્કિશ, કોરિયન એર, કતાર એરવેઝ અને રવાન્ડા એરમાં જોબ્સ માટે અરજી કરી છે. ઘરઆંગણે ઇન્ડિગોએ 30 પાઇલટ્સ સફળતાપૂર્વક લીધા છે, જે જેટ એરવેઝ માટે બોઇંગ 737 એનજી ઉડાડતા હતા અને હવે તેના એરક્રાફ્ટ એરબક 320 નિયોને ઉડાડશે. આ પાઇલટ્સને એરબસના પ્લેનની તાલીમ આપવામાં આવશે, જે તેમના માટે સરળ હશે, એમ વર્તુળોએ ઉમેર્યું હતું.

તાજેતરમાં સ્થાનિક એરલાઇને જેટ એરવેઝના પાઇલટ્સને 20 લાખ રૂપિયાનું વન-ટાઇમ સાઇન-ઈન બોનસ ઓફર કર્યું હતું. આ બધાની સાથે હિંદુજા જૂથે એરલાઇનના મોરચે ફરીથી શૂન્યમાંથી સર્જન કરવું પડશે. તેણે એરલાઇન ચલાવવા માટે મેનેજમેન્ટ બેન્ડવિથ પણ બનાવવી પડશે. તેથી નરેશ ગોયલ અને એતિહાદ જૂથનો ટેકો મહત્ત્વનો છે. હિંદુજાને અંતિમ પગલું લેતાં પહેલાં સરકારો અને બેન્કરોનો પણ નાણાકીય ટેકો જોઈશે. બીજું મહત્ત્વનું પાસું એ છે કે હિંદુજા જૂથે હંમેશા બહુમતી અંકુશ સાથે એક્વિઝિશન કર્યાં છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HtvFHe

No comments:

Post a Comment

Pages