Latest

Tuesday, May 14, 2019

ફર્નિચર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, ઘરમાં આર્થિક તંગી નહીં આવે

ફેંગશૂઈની ટિપ્સ કરશે મદદ

ચીનના વાસ્તુશાસ્ત્ર ફેંગશૂઈમાં જીવનને સકારાત્મક બનાવવા માટેના ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. ઘર અથવા તમારી આસપાસના વાસ્તુમાં કેટલાક ફેરફાર કરી તમે જીવનમાં સુખ, વૈભવ અને સફળતા મેળવી શકો છો. આજે અમે તમને જણાવીશું કેટલીક એવી ટિપ્સ જેને અનુસાર તમે ઓફિસ કે ઘરને વાસ્તુ અનુકૂળ બનાવી શકો છો જેથી ક્યારેય આર્થિક તંગી ન વર્તાય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ફર્નિચરની ડિઝાઈન આવી હોવી જોઈએ

ફેંગશૂઈ પ્રમાણે ફર્નિચરની ડિઝાઈન સિમ્પલ હોવી જોઈએ. જો ફર્નિચર ગોળાકારમાં હોય તો તેને તરત બદલી દો. એવું કહેવાય છે આ પ્રકારનું ફર્નિચર રાખવાથી ઘરમાં નકારાત્મકતાનો વાસ થાય છે.

ફર્નિચર ગોઠવતી વખતે ખાસ ધ્યાન આપો

ફેંગશૂઈ પ્રમાણે હળવા ફર્નિચરને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. તો ભારે ફર્નિચરને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં રાખવું શુભ ગણવામાં આવે છે. ફેંગશૂઈ પ્રમાણે પરિવારમાં ખુશી યથાવત્ રહે તે માટે પરિવારના સભ્યોની એક તસવીર લાકડાના ફ્રેમમાં બનાવી પૂર્વ દિશામાં આવેલી દિવાલ પર લગાવવી જોઈએ.

આટલું કરો ધંધામાં વધારો થશે

ફેંગશૂઈ પ્રમાણે જો તમારા ધંધામાં વધારો થાય તેમ ઈચ્છતા હો તો ઘરના પૂર્વી ભાગમાં લાકડીનું ફર્નિચર અને સજાવટીની વસ્તુઓ રાખો. આ દિશામાં હંમેશા સકારાત્મકતા બની રહે છે. ઘરમાં અને ઓફિસમાં હળવા રંગનું ફર્નિચર રાખવું જોઈએ.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HiHZde

No comments:

Post a Comment

Pages