પદ્મશ્રી એવોર્ડ મામલે સૈફ થયો ટ્રોલ

હાલમાં જ અરબાઝ ખાનના શો પર સૈફ અલી ખાન પહોચ્યો હતો. ટોક શોના થીમ મુજબ એક્ટરને ટ્રોલર્સ દ્વારા મોકલાયેલા મેસેજ વંચાવ્યા. જણાવી દઈએ કે પહેલા લિસ્ટમાં ટ્રોલર્સ સૈફ વિરુદ્ધ બોલતા અને તેને સવાલ કરતા જોવા મળ્યા. આ દરમિયાન ટ્રોલર્સે તૈમૂર અલી ખાનના નામ પર થયેલા વિવાદને લઈને પદ્મશ્રી એવોર્ડ મળવા સુધી સવાલ કર્યા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રોલર્સે કહ્યો ઠગ

ટ્રોલર્સે સૈફ અલી ખાન વિશે લખ્યું કે, ‘એક્ટર ઠગ છે, તેમણે પદ્મશ્રી સન્માન ખરીદ્યુ છે. સૈફે પોતાના દીકરાનું નામ તૈમૂર રાખ્યું છે અને એક રેસ્ટોરાંમાં જઈને લોકોની પીટાઈ પણ કરી છે. એક્ટિંગ પણ સારી નથી કરતો ખબર નહીં તેમને રોલ કેવી રીતે મળી જાય છે.’ આ કૉમેન્ટ પર જવાબ આપતા સૈફ અલી ખાને કહ્યું કે સૌથી પહેલીવાત હું ઠગ નથી પરંતુ બાકી બધી વાતો સાચી છે. તેમણે પદ્મશ્રી પર સવાલમાં કહ્યું કે આ એવોર્ડ ખરીદી ન શકાય.
ખરીદીને લીધો પદ્મશ્રી એવોર્ડ?

એક્ટરે કહ્યું કે જેવી રીતે પદ્મશ્રી ખરીદવાની વાત કરાઈ રહી છે, મારી હેસિયત સરકારને ખરીદવાની નથી. શક્ય છે આ ખૂબ મોંઘો હોય છે અને સરકારને લાંચ આપવાની મારી હેસિયત નથી. જો તમારે જાણ કરવી હોય તો મોસ્ટ સીનિયર લોકોને પૂછવું પડશે. આશાથે જ એક્ટરે કહ્યું મને લાગે છે કે પદ્મશ્રી એવોર્ડ નહોતો લેવો જોઈતો.
એવોર્ડ પાછો આપવા ઈચ્છે છે

તેણે આગળ કહ્યું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે, જે મારાથી વધારે સક્ષમ છે તેને આ એવોર્ડ નથી જોઈતો. આટલું જ નહીં એવા પણ ઘણા લોકો છે જેમને આ એવોર્ડ હજુ સુધી નથી મળ્યો. સૈફ આગળ કહે છે કે મારા માટે આ શરમની વાત છે. આ સન્માન એવા લોકોને પણ મળ્યું છે જે મારાથી પણ ઓછા સક્ષમ છે પરંતુ હવે હું આ એવોર્ડ ભારત સરકારને પાછો આપવા ઈચ્છુ છું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2E9w8Mp
No comments:
Post a Comment