છાશઃ

છાશ એક એવું પીણુ છે જે મોટાભાગના લોકો પીવાનું પસદ કરે છે. ઉનાળામાં તો તેની ખાસ્સી ડિમાન્ડ હોય છે. છાશમાં એવા પોષકતત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. સાથે તે લૂથી પણ બચાવે છે. દહીં, પાણી સાથે જીરુ, સિંધવ લૂણ, મરી, કોથમીર, મરચા, હીંગ અને ફુદીના જેવા મસાલાથી તૈયાર કરાયેલી છાશ કોઈ દવાથી કમ નથી. એવુ મનાય છે કે દહી પેટ સાથે સંકળાયેલી તમામ તકલીફોનો ઈલાજ છે. કબજિયાત કે પેટ ફૂલવાની સમસ્યાથી પીડાતા લોકો માટે દહી અમૃતથી કમ નથી. આવામાં જો બીજી કેટલીક ચીજો ઉમેરવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જાણો વજન ઉતારવા માટે છાશમાં શું શું ઉમેરવું જોઈએ.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
કેળાઃ

1 કપ દહીમાં 1-2 કેળા મિક્સ કરી સ્મૂધી બનાવી લો. રોજ સવારે પીવાથી વજન ઘટશે. છાતીમાં બળતરા, અપચા અને પેટમાં દુઃખાવાની સમસ્યામાં આ નુસ્ખો ફાયદાકારક છે.
મિશ્રીઃ

છાશમાં મિશ્રી, મરી અને સિંધવ લૂણ મિક્સ કરી રોજ પીવાથી એસિડીટીની સમસ્યામાં રાહત મળે છે. તેનાથી પેટ ભારે લાગવું, ભૂખ ન લાગવું, અપચો, પેટમાં બળતરાની ફરિયાદ દૂર થઈ શકે છે.
અજમોઃ

જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે છાશમાં અજમો નાંખી પીવી જોઈએ. એક ગ્લાસ છાશમાં 1 નાની ચમી અજમાનો પાવડર મિક્સ કરી પીઓ.
ફુદીનોઃ

જે લોકોને અપચાની ફરિયાદ રહેતી હોય તેમણે છાશમાં ફુદીનો નાંખીને પીવો જોઈએ. પાચનતંત્ર મજબૂત થશે તો તમારુ વજન આપોઆપ ઘટવા માંડશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2E4VkDT
No comments:
Post a Comment