ઈન્દોરઃ પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિધ્ધુએ પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરતા તેમની સરખામણી એવી દુલ્હન સાથે કરી છે જે કામ ઓછું કરે છે, બંગડી વધારે ખખડાવે છે. પોતાના કટાક્ષ ભર્યા નિવેદનો અને જુમલા માટે જાણીતા સિધ્ધુએ શુક્રવારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી પર હુમલો કર્યો. તેમણે જનતાને ‘કાળા અંગ્રેજો’ને સત્તાથી બહાર કરવાની પણ અપીલ કરી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
Punjab Minister & Congress leader Navjot Singh Sidhu in Indore, MP: Modi Ji uss dulhan ki tarah hain jo roti kum baelti hai aur chudiyaan zada khankati hai taaki mohalle walon ko yeh pata chale ki woh kaam kar rahi hai. Bas yahi hua hai Modi sarkaar mein. pic.twitter.com/WOPJXbMm1x
— ANI (@ANI) May 11, 2019
સિધ્ધુએ કહ્યું, ‘મોદીજી એવી દુલ્હનની જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધારે ખખડાવે છે, જેથી આસપાસના લોકોને ખબર પડે કે તેઓ કામ કરી રહ્યા છે. બસ આજ થયું છે મોદી સરકારમાં.’ કોંગ્રેસના સ્ટાર પ્રચારક સિધ્ધુએ પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘મોદી માત્ર ખોટું બોલી રહ્યા છે. પ્રધાનમંત્રી અને તેમનો આખો પરિવાર ખોટો છે.’
સિધ્ધુએ પોતાના જાણીતા અંદાજમાં કટાક્ષ કર્યો, હું હીરો નંબર વન, કુલી નંબર વન અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઈ હતી. પરંતુ હાલમાં મોદીની નવી ફિલ્મ આવી રહી છે, ‘ફેંકૂ નંબર વન’. તેમણે આગળ કહ્યું, ‘હું તેમને ખોટા નંબર વન, ડિવાઈડર ઈન ચીફ અને અંબાણી અને અદાણીના બિઝનેસ મેનેજર કહું છું.’
મોદી સરકાર પર હુમલો કરતા સિધ્ધુએ કહ્યું, ‘ના રામ મળ્યા, ના રોજગાર મળ્યો, દરેક ગલીમાં મોબાઈલ ચલાવતો બરોજગાર મળ્યો.’ રફાલ વિમાન ડીલ પર પ્રધાનમંત્રીને ઘેરતા પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું, મોદી દેશના લોકોને કહેતા હતા કે તેમને 10 રૂપિયાની પેન ખરીદવા પર પણ દુકાનદાર પાસેથી પાક્કું બિલ લેવી જોઈએ. પરંતુ જ્યારે રફાલ વિમાનોની ખરીદીના બિલની વાત આવે છે, તો તેઓ વ્યાકુળ કેમ છે?
ઈન્દોરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં એક સભા કરતા નવજોત સિધ્ધુએ કહ્યું, ‘આ કોંગ્રેસ દેશને આઝાદી અપાવનારી પાર્ટી છે. મૌલાના આઝાદની પાર્ટી છે, મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમને ગોરાઓથી આઝાદી અપાવી અને તમે ઈન્દોરવાળા હવે કાળા અંગ્રેજોથી આ દેશને છૂટકારો અપાવશો. આ ચોરોથી આ ચોર ચોકીદારોથી આ દેશને છૂટકારો અપાવશો.’
આ વચ્ચે પીએમ મોદી સામે વિવાદીત નિવેદન મામલે સિધ્ધુની મુશ્કેલી વધી ગઈ છે. ચૂંટણી આયોગે આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે તેમને નોટિસ આપી છે. આ નોટિસનો તેમને 24 કલાકની અંદર જવાબ આપવાનો છે. મધ્ય પ્રદેશની એક રેલીમાં સિધ્ધુએ રાફેલ ડીલમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે શહીદીનો લાશો પર રાજનીતિ કરવાનો આરોપ લગાવતા પીએમને સૌથી મોટા દેશદ્રોહી ગણાવ્યા હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2WBmZ6x
No comments:
Post a Comment