Latest

Sunday, May 12, 2019

જુનાગઢઃ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં ઘર્ષણ, થયો લાઠીચાર્જ

જુનાગઢઃ સમગ્ર ભારત દેશમાં ચૂંટણીનું વાતાવરણ છે ત્યારે જુનાગઢના સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી તો શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હતી પરંતુ ચૂંટણી પછી દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ બન્ને પક્ષના સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. આ પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

દેવપક્ષે લગાવ્યા આરોપ
દેવપક્ષે આચાર્ય પક્ષ પર સ્વામિનારાયણ રાધારમણ દેવમંદિર પરિસરમાં જ હુમલો કરવાનો આરોપ આવ્યો હતો. દેવપક્ષે જણાવ્યું હતું કે આચાર્ય પક્ષને ચૂંટણીમાં હારનો ડર સતાવી રહ્યો છે. જેથી તેમણે અમારા સંત વિવેક સ્વામી પર હુમલો કરાવ્યો છે.

હરિભક્તો વચ્ચે ઝપાઝપી
જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ રાધારમણ દેવમંદિરમાં ચૂંટણી તો શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. પરંતુ આ પછી બે હરિભક્તો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ઝઘડો ઉગ્ર બન્યો હતો અને બન્ને પક્ષ વચ્ચે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી સોમવારે હાથ ધરવામાં આવશે.

શું કહ્યું પોલીસે?
આ ઘટના બનતાં જ જુનાગઢ પોલીસ એસપી ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. તેમણે એ જણાવ્યું હતું કે,’હુમલાખોરો સામે અમે કડક કાર્યવાહી કરીશું અને જેનો વાંક હશે તેના વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. પોલીસે સંત પર હુમલો કરનાર વ્યક્તિને પકડી લીધો છે.’



from Page Array – I Am Gujarat http://bit.ly/2HkgkHr

No comments:

Post a Comment

Pages