Latest

Sunday, May 12, 2019

અમદાવાદઃ હેપ્પી સ્ટ્રીટમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ

પાણીના કુંડાનું વિતરણ

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પાણીની તરસ છીપાવવા માટે એનઆઈડી ખાતે યોજાયેલા હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં અનિલમ લાઈફ કેર સંસ્થા દ્વારા પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. આ પાણીના કુંડામાં પક્ષીઓ પાણી પી શકે તે માટે પાણીના કુંડા ઝાડની નીચે અથવા ઘરની બહાર રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

હેપ્પી સ્ટ્રીટમાં સંસ્થા દ્વારા વિતરણ

એનિલમલ લાઈફ કેર સંસ્થાના પ્રમુખ વિજય ડાભીએ જણાવ્યું છે કે, ‘અમે છેલ્લા બે રવિવારથી હેપ્પી સ્ટ્રીટમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરી રહ્યા છીએ. હાલ ઉનાળાની ગરમી માનવી પણ માંડ માંડ સહન કરી શકે છે ત્યારે પક્ષી માટે આપણે આટલું તો કરી જ શકીએ.’

ચકલી બચાવવા માટે ખાસ અભિયાન

આ ઉપરાંત ડાભીએ જણાવ્યું કે, ‘અમે ચકલી બચાવા માટે ખાસ અભિયાન ચલાવીએ છીએ. શહેરમાં જ્યાં પણ ચકલીઓ જોવા મળે છે ત્યાં જઈને અમે તેમના માટે માટીના માળા લગાવીએ છીએ. માટીના માળાને કારણે ઉનાળાની સાથે ચોમાસા અને શિયાળામાં પણ તેમને તકલીફ ઓછી થાય છે.’

ચકલી ઓછી થવા પાછળના જવાબદાર કારણો

ચકલીઓ ઓછી થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમ કે પહેલાના સમયમાં ઘરમાં કડીવાળા ફોટોઓ રાખવામાં આવતા હતા. આ ફોટો પાછળ પંખીઓ માળા બાંધી રહેતા હતા પરંતુ હાલના સમયમાં હવે આ પ્રકારના ફોટો કોઈ લગાવતું નથી. આ સાથે પહેલા ઘરની બહાર બખોલા રાખવામાં આવતી હતી જે હવે નવા મકાનોમાં રાખવામાં આવતી નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2PY6Rd3

No comments:

Post a Comment

Pages