Latest

Sunday, May 12, 2019

ધાર્મિકતાને કારણે પોતાની દીકરીઓ બહાર રમવા જવા દેતો નથી આ ક્રિકેટર

આત્મકથામાં આફ્રિદીએ કર્યો ચોંકવનારો ખુલાસો

કરાંચી : પાકિસ્તાનના પૂર્વ ઑલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે પોતાની પુત્રીઓને બહાર જઈને રમવાની ના પાડે છે. આફ્રિદીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં લખ્યું છે કે, ‘સામાજિક અને ધાર્મિક કારણો’ને લીધે તે પોતાની ચાર દીકરીઓ (અંશા, અજવા, અસમારા અને અક્સા)ને બહાર જઈને રમવાની પરવાનગી આપતો નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

દીકરીઓ સ્પોર્ટ્સમાં સારી, માત્ર ઈન્ડોર ગેમની છૂટ

તેણે કહ્યું કે, નારીવાદી(ફેમિનિસ્ટ) લોકો તેના નિર્ણય વિશે જે ઈચ્છે તે કહી શકે છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’એ આફ્રિદીની આત્મકથાના હવાલેથી કહ્યું, ‘નારીવાદી લોકો મારા આ નિર્ણય વિશે ઈચ્છે તે કહી શકે છે.’ તેણે કહ્યું કે, મારી પુત્રીઓ સ્પોર્ટ્સમાં સારી છે, પણ તેમને માત્ર ઈન્ડોર રમતની જ અનુમતિ છે.

ક્યારેય સાર્વજનિક રમતમાં ભાગ નહીં લે

તેણે કહ્યું, ‘અજવા અને અસમારા સૌથી નાની છે અને તેમને ડ્રેસ-અપ રમવું ખૂબ પસંદ છે. જ્યાં સુધી તે ઘરમાં છે, ત્યાં સુધી મારી તરફથી તેમને દરેક રમત રમવાની પરવાનગી છે. ક્રિકેટ? ના, મારી દીકરીઓ માટે નહીં. તેમને તમામ ઈન્ડોર ગેમ રમવાની છૂટ છે પણ મારી દીકરીઓ સાર્વજનિક ગતિવિધિઓમાં ભાગ લેવાની નથી.’

ચર્ચામાં છે આફ્રિદીની ‘ગેમ ચેન્જર’

આફ્રિદીની આત્મકથા ચર્ચા મેળવી રહી છે. આવું કાશ્મીર પર તેના વિચારો, ઉંમરનું રહસ્ય ખોલવા તથા અન્ય પાકિસ્તાની ક્રિકેટરોની આલોચના અથવા 2010ના સ્પૉટ ફિક્સિંગ કાંડ દરમિયાન કદાચાર વિશે જાગૃત હોવાના તેના દાવાને કારણે હોઈ શકે છે. આફ્રિદીએ તાજેતરમાં જ રિલીઝ થયેલી પોતાની આત્મકથામાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2vPe3Po

No comments:

Post a Comment

Pages