Latest

Wednesday, May 15, 2019

જેટના ટોચના ત્રણ અધિકારીઓનાં રાજીનામા



69335692

અનિર્બાન ચૌધુરી

મુંબઇ:જેટ એરવેઝ એરલાઇનને ચાલુ રાખવા માટે નવા રોકાણકારની શોધમાં છે ત્યારે મંગળવારે ત્રણ ટોચના અધિકારીઓનાં રાજીનામાં પડ્યા હતા, જેમાં સીઇઓ વિનય દુબે, સીએફઓ અમિત અગરવાલ અને ચીફ પીપલ ઓફિસર રાહુલ તનેજાનો સમાવેશ થાય છે. બે નિયમનકારી એજન્સીઓની તપાસ ઝળુંબતી હોવાથી એરલાઇનનાં ભાવિ અંગે શંકાના વાદળો ઘેરાયા છે ત્યારે એક જ દિવસે ટોચના ત્રણ અધિકારીઓનાં રાજીનામાંથી કંપની પર સંકટ ઘેરું બન્યું છે.

જેટે સૌ પ્રથમ અમિત અગરવાલના રાજીનામાની જાહેરાત કરી હતી. બપોર પછી દુબે અને તનેજા પણ નોકરી છોડી રહ્યાં હોવાના સમાચાર સૌ પ્રથમ ઇકોનોમિટ ટાઇમ્સે જ આપ્યા હતા. જેટે એક્સચેન્જને આપેલી સૂચનામાં દુબેના રાજીનામાને પુષ્ટી આપી હતી પણ તનેજાના મુદ્દે ચૂપકીદી સેવી હતી. એરલાઇનને ઇ-મેઇલ પર કરેલી પૃચ્છાનો આ લખાય છે ત્યાં સુધી કોઇ જવાબ મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એતિહાદે જેટ એરવેઝમાં રોકાણ માટે શરતી બિડ કરી હતી અને જણાવ્યું હતું કે, તે ₹1700 કરોડથી વધુનું રોકાણ નહીં કરી શકે, આ રકમ જેટને બેઠી કરવા જરૂરી રકમનો અંશ છે. એસબીઆઇની વડપણ હેઠળના ધિરાણકર્તાઓએ હવે એરલાઇનમાં નવેસરથી મેજોરિટી ઇન્વેસ્ટર શોધવો પડે.

દરમિયાન, લોયલ્ટી રિવોર્ડસ પ્રોગ્રામ જેટ પ્રિવિલેજ પ્રાઇવેટ લિમિટેડમાં 50.1 ટકા હિસ્સો વેચવાના સોદા અંગે નાણાં મંત્રાલયની ઇકોનોમિક લો એન્ફોર્સમેન્ટ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જેટની તપાસ થઇ રહી છે. કંપનીન બાબતોના મંત્રાલયની સિરિયલ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ (SFIO) પણ જેટના સ્થાપક નરેશ ગોયલની કથિત ગેરરિતીઓમાં તપાસ કરી રહી છે. જેટ એરવેઝે રોકડના અભાવે અને વધારાનું ભંડોળ મેળવવામાં નિષ્ફળ જવા બદલ 17 એપ્રિલે કામગીરી સ્થગિત કરી હતી.

હવે જેટ પાસે ટોપ મેનેજમેન્ટમાં લગભગ કોઇ બચ્યું નથી. ગયા સપ્તાહે હોલ ટાઇમ ડિરેક્ટર ગૌરાંગ શેટ્ટીએ રાજીનામું આપ્યું હતું, જે મહિનામાં ત્રીજું હતું. અગાઉ બે સ્વતંત્ર ડિરેક્ટર્સ નસીમ ઝૈદી અને રાજશ્રી પાથી રાજીનામાં આપી ચૂક્યા છે. તાજેતરમાં જનરલ કાઉન્સેલ અશોક બારીમારે રાજીનામું આપ્યું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Vp37SP

No comments:

Post a Comment

Pages