Latest

Wednesday, May 15, 2019

કોલકાતા હિંસા: CRPF ના હોત તો મારું બચીને નીકળવું મુશ્કેલ હતું: અમિત શાહ

નવી દિલ્હી: ગઈકાલે સાંજે અમિત શાહના કોલકાતામાં થયેલા રોડશો દરમિયાન થયેલી હિંસા બાદ ભાજપ અને ટીએમસી આમને-સામને છે. અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે, ભાજપ દેશભરમાં ચૂંટણી લડી રહ્યો છે, બીજે ક્યાંય હિંસા કેમ નથી થઈ રહી? કારણકે બીજે ક્યાંય ટીએમસી નથી. બંગાળમાં થઈ રહેલી હિંસા પાછળ ટીએમસી છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

અમિત શાહે કહ્યું હતું કે, જો કાલે ઘટનાસ્થળ પર સીઆરપીએફ ન હોત તો મારા માટે બચીને નીકળવું મુશ્કેલ હતું. મારા ઘણા કાર્યકર્તા માર્યા ગયા છે ત્યારે મારા પર હુમલો થવો સ્વાભાવિક હતો. ટીએમસી ગમે તે હદે જઈ શકે છે. વિદ્યાસાગરની મૂર્તિ તોડવાના આરોપનો જવાબ આપતા શાહે કહ્યું હતું કે મૂર્તિ વોટ માટે ટીએમસીએ જ તોડી છે.

કોલકાતાની પોલીસ પર આરોપ મૂકતા અમિત શાહે કહ્યું હતું કે, રોડશો પહેલા જ ભાજપના પોસ્ટર હટાવી દેવાયા હતા, પીએમના પોસ્ટર ફાડી દેવાયા હતા છતાંય પોલીસ મૂક બની તમાશો જોતી રહી. તેમણે કહ્યું હતુંકે, રોડશો દરમિયાન તરણ વાર હુમલા થયા હતા. પથ્થર, તેમજ કેરોસીન બોંબ ફેંકાયા હતા, આગચંપી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાર સામે દેખાઈ રહી હોવાથી ટીએમસી આવું કરી રહી છે.

આ હિંસામાં રોડશોમાં સામેલ બાઈકો અને જીપ પણ સળગાવી દેવાયા હોવાનું જણાવતા અમિત શાહે કહ્યું હતું કે અમે જ અમારા વાહન થોડી સળગાવી દઈશું? મમતા બેનર્જીને ખુલ્લો પડકાર આપતા અમિત શાહે કહ્યું હતું કે, મને જાણવા મળી રહ્યું છે કે મારા પર એફઆઈઆર થઈ છે, પરંતુ દીદી તમારી કોઈ FIRથી હું ડરવાનો નથી. મારા પર તો FIR થઈ છે, ઘણા કાર્યકર્તાઓની તો હત્યા કરી દેવામાં આવી છે.

મમતા બેનર્જીએ બે દિવસ પહેલા જ બદલો લેવાની ધમકી આપી હોવાનું કહેતા અમિત શાહે કહ્યું હતું કે, દીદી એમ વિચારતાં હોય કે હિંસાનો કાદવ ફેલાવી તેઓ જીતી જશે તો તે સાંભળી લે કે ઉંમરમાં તે મારાથી મોટાં હશે, પરંતુ અનુભવ મને વધારે છે. હિંસાનો કાદવ જેટલો વધુ ફેલાશે તેટલું જ કમળ વધુ ખીલશે. ચૂંટણી પંચ પર પણ આક્ષેપ કરતા શાહે કહ્યું હતું કે, પંચ મૂક પ્રેક્ષક બનીને બેઠું છે. ચૂંટણી ટાણે હિસ્ટ્રીશીટરોની ધરપકડ કેમ ન કરવામાં આવી?



from Page Array – I Am Gujarat http://bit.ly/30mqmR6

No comments:

Post a Comment

Pages