Latest

Wednesday, May 15, 2019

જેટની ‘સંજીવની’ માટે એતિહાદ હિંદુજાના સંપર્કમાં



69335567

અનિર્બાન ચૌધુરી/સતીષ જ્હોન

મુંબઈ:જેટ એરવેઝના ધિરાણકારો અને તેના બીજા ક્રમના સૌથી મોટા શેરહોલ્ડર એતિહાદ એરવેઝે જેટમાં હિસ્સો ખરીદવા માટે હિંદુજા ગ્રૂપનો સંપર્ક કર્યો છે. આ માટેની વાતચીત શરૂ થઇ ગઈ છે.

હિંદુજા ગ્રૂપે હજુ સુધી જેટ એરવેઝમાં રોકાણ કરવા અંગે કોઇ નિશ્ચિત વલણ લીધું નથી. પરંતુ એતિહાદના પ્રતિનિધિઓ જી પી હિંદુજાને મળ્યા ત્યાર બાદ તેમાં રસ જોવા મળ્યો હતો. જી પી હિંદુજા એ સૌથી મોટા ભાઈ છે અને જૂથનું વડપણ સંભાળે છે. જી પી હિંદુજાએ એતિહાદને અશોક હિંદુજાને મળવા કહ્યું હતું જેઓ ભારત ખાતેનો બિઝનેસ સંભાળે છે.

એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે હિંદુજા જૂથે તેના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે કહ્યું કે જૂથ એતિહાદના એક્ઝિક્યુટિવ્સને મળશે પરંતુ આ માટેની તારીખ કે સમય નક્કી કરવામાં આવ્યા નથી.

હિંદુજા ગ્રૂપ વૈશ્વિક સ્તરે 10 બિઝનેસ ચલાવે છે જેમાં ઓટોમોબાઇલ્સ, ઓઇલ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ, મિડિયા, આઇટી, પાવર, હેલ્થકેર, રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. તે અશોક લેલેન્ડની માલિકી ધરાવે છે જે ભારતની બીજા ક્રમની સૌથી મોટી ટ્રક ઉત્પાદક કંપની છે. હિંદુજા ગ્રૂપ પાસે પુષ્કળ નાણાં છે જેના દ્વારા તે જેટને ફરી સજીવન કરવાની ક્ષમતા ધરાવે છે. જેટને ફરીથી ચાલુ કરવા માટે ₹15,000 કરોડની જરૂર છે. હિંદુજા બંધુઓ શ્રી અને જી પીને તાજેતરમાં બ્રિટનના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓના બિરુદ મળ્યા હતા. તેમના નામે કુલ 22 અબજ પાઉન્ડની મિલ્કત છે.

એતિહાદ જેટ એરવેઝ માટે બિડ કરનારી એકમાત્ર એન્ટીટી હતી. જોકે, તેની બિડમાં ઘણી શરતો હતી અને એક શરત એવી હતી કે તે જેટના હાલના શેરહોલ્ડિંગના 24 ટકા કરતા વધારે હિસ્સો નહીં ખરીદે. એટલે કે તે એરલાઇનમાં માત્ર ₹1700 કરોડનું રોકાણ કરવા તૈયાર હતી. જેટની જવાબદારીઓનો બોજ ઉઠાવવા માટે પણ એતિહાદ તૈયાર નથી. તેણે બેન્કોને 70થી 80 ટકા ખોટ સહન કરવા જણાવ્યું છે. બેન્કોએ જેટ પાસેથી ₹8500 કરોડ લેવા નીકળે છે. એતિહાદે કહ્યું હતું કે મેજોરિટી પાર્ટનર શોધવાની જવાબદારી બેન્કોની છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/30k29uN

No comments:

Post a Comment

Pages