Latest

Friday, May 3, 2019

ફોની વાવાઝોડાને લઈને હવામાન એક્સપર્ટ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે

ફોની વાવાઝોડાએ સર્જ્યું રહસ્ય

ભુવનેશ્વર/નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં તોફાની વાવાઝોડા ‘ફોની’ની સ્પીડમાં સખત વધારો થઈ રહ્યો છે. પુરીમાં લેન્ડફોલ પછી ભારે પવન સાથે વરસાદ પણ થઈ રહ્યો છે, વાવાઝોડના કારણે અહીં 200 કિલોમીટર/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડા વિશે જાણકારોને સૌથી આશ્ચર્યમાં મૂકનારી વાત તેનો ટાઈમિંગ છે. તજજ્ઞોનું કહેવું છે કે, આ રીતે વાવાઝોડું સામાન્ય રીતે ચોમાસાના સમયમાં આવતું હોય છે, પણ આ સમયે તે આવ્યું છે જે ચોકાવનારું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ટાઈમિંગે આશ્ચર્યમાં મૂક્યા

હવામાન વિભાગ સાથે જોડાયેલા એક્સપર્ટનું કહેવું છે કે, ગરમીઓમાં આવા તોફોની વાવાઝોડા બહુ જ ઓછા જોવા મળે છે, સામાન્ય રીતે ચોમાસા પછી સપ્ટેમ્બ-નવેમ્બરમાં આવા તોફાન આવી શકે છે. એક રિપોર્ટ મુજબ 1965 થી 2017 સુધીમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં 46 ભયાનક વાવાઝોડા નોંધાયા છે. જેમાંથી ઓક્ટોબર થી ડિસેમ્બર વચ્ચે 28 તોફાન આવ્યા જેમાંથી 7 મેમાં અને માત્ર બે એપ્રલ (1966,1976)માં આવ્યા. 1976 બાદ ફોની પહેલું એવું તોફાન છે, જેનું નિર્માણ એપ્રિલમાં શરુ થયું.

ચોથું સૌથી ખતરનાક વાવાઝોડું

પાછલા ત્રણ દાયકામાં પૂર્વ કિનારાવાળા ચોથું સૌથી ખતરનાક વાવાઝોડું છે. ઓડિશાએ આ પહેલા જે ભયાનક તોફાનોનો સામનો કર્યો છે તે, વર્ષ 1893, 1914, 1917, 1982 અને 1989માં આવ્યા હતા. આ વાવાઝોડા ક્યાં તો નબળા પડી ગયા હતા અથવા તો પશ્ચિમ બંગાળના દરિયા કિનારા તરફ જતા રહ્યા હતા. જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે ભવિષ્યમાં પણ આવી સ્થિતિનો સામનો કરવો પડશે.

શરુઆત ધીમી એટલું ખતરનાક

જાણકારોનું માનવું છે કે, જે વાવાઝોડાની શરુઆત ધીમી હોય છે, તેનો પ્રભાવ એટલો જ ખતરનાક હોય છે. તેની પાછળનું કારણ એ પણ છે કે, ધીમું હોવાના કારણે વાવાઝોડામાં ભેજ અને ઉર્જા એકત્રિત કરવા માટે પુરતો સમય મળી જાય છે અને લેન્ડફોલ પછી તે વધારે ખતરનાક બની જાય છે.

શું કહે છે ઇતિહાસ

અત્યાર સુધીના સૌથી ખતરનાક 35 વાવાઝોડામાંથી 26 બંગાળની ખાડીથી શરુ થાય છે. 1999માં આવેલું સુપર સાઈક્લોન, જેમાં ઓડિશામાં 30 કલાક ટક્યું હતું, જેમાં 10 હજાર લોકોના મોત થઈ ગયા હતા. આ પહેલા 1971માં આવું વાવાઝોડું આવ્યું હતું જેમાં પણ 10,000 લોકોનાં મોત થયા હતા. ઓક્ટોબર 2013માં ફેલિન અને પાછલા વર્ષે તિતલી વાવઝોડાના પ્રકોપમાં મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમને પહેલાથી જ સુરક્ષિત જગ્યા પર ખસેડી દેવામાં આવ્યા હતા. જોકે, આ બન્ને તોફાનોમાં 77 લોકોના મોત થયા હતા.

20 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું

ઓક્ટોબર 2014માં હુદહુદ નામનું વાવાઝોડું આવ્યું હતું જેમાં 124 લોકોનાં મોત થયા હતા. ફોની વાવાઝોડાની તીવ્રતા પણ લગભગ એટલી દર્શાવાઈ રહી છે. 2017માં ઓક્ખી વાવઝોડાના કારણે તામિલનાડુ અને કેરળમાં 250 લોકો મોતને ભેટ્યા હતા. નોંધનીય છે કે, 20 વર્ષ પહેલા આવું તોફાન આવ્યું હતું જે પછી આજે આવું તોફાન આવ્યું છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Y5eq4a

No comments:

Post a Comment

Pages