Latest

Friday, May 17, 2019

તૈમૂરની આયાને શાહિદે પોતાના દીકરા માટે નોકરીએ રાખી?

મેડમ તુસાદમાં શાહિદનું સ્ટેચ્યૂ મુકાયું

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે તાજેતરમાં જ મેડમ તુસાદ મ્યૂઝિયમ(સિંગાપોર)માં પોતાના મીણના પૂતળાનું અનાવરણ કર્યું. થોડા દિવસ પહેલા શાહિદ તેના આખા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે શાહિદનો સમગ્ર પરિવાર એકસાથે જોવા મળ્યો હોય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શાહિદના પરિવાર સાથે દેખાઈ તૈમૂરની આયા

આ સમયે અહીં કંઈક એવું ખાસ દૃશ્ય જોવા મળ્યું જેના પર લોકોની નજર ચોંટી ગઈ. અસલમાં શાહિદના પરિવાર સાથે તૈમૂરની આયાને પણ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી. શાહિદ-મીરાં અને તેમના બાળકો આગળ ચાલી રહ્યાં હતા જ્યારે આયા તેમની પાછળ-પાછળ ચાલી રહી હતી. આવા સમયે મીરાં તેને થોડું અંતર જાળવવા માટે કહ્યું હતું. આના પરથી અટકળો લાગી રહી છે કે, તૈમૂરની સંભાળ રાખનારી આયાને મીરાં પોતાના દીકરા ઝૈન માટે હાયર કરી છે.

સૈફીનાને કૉપી કરતા ટ્રૉલ થયું હતું કપલ

થોડા દિવસ અગાઉ પણ શાહિદ અને મીરાંને સૈફ-કરીનાને કૉપી કરવા માટે ટ્રૉલ કરવામાં આવ્યા હતા.

21 જૂને રિલીઝ થશે ‘કબીર સિંહ’

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદની ‘કબીર સિંહ’ 21 જૂનના રોજ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં શાહિદ એક ઝનૂની આશિકના રોલમાં છે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HmuCbO

No comments:

Post a Comment

Pages