ગુરુ અર્જુનદેવ જયંતિ
મે મહિનાની શરુઆત થઈ ચૂકી છે. આ મહિનાની શરુઆત ગુરુ અર્જુનદેવ જયંતીથી થઈ રહી છે. ત્યાર બાદ શનેશ્વરી અમાસ આવશે. પછી અક્ષય તૃતિયા અગિયારસ. આ તમામ નાના-મોટા તહેવારોનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. આ વખતે મે મહિનો એટલા માટે ખાસ છે કારણ કે, આ મહિનામાં બે અગિયારસ આવી રહી છે. આ સંજોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શીખ સમુદાયના પાંચમા ગુરુ અર્જુનદેનનો જન્મ 19 વૈશાખ સંવત 1620 (15 એપ્રિલ 1563)ના રોજ ગુરુ રામદાસ અને માતા ભાનીને ત્યાં થયો હતો. તેમના જન્મને અર્જન જયંતિ પણ કહેવામાં આવે છે. 2 મે રોજ ગુરુવારે આ જયંતિ ઉજવાઈ હતી. આ દિવસે ગુરુદ્વારામાં ભવ્ય કાર્યક્રમો યોજાય છે.
શનેશ્વરી અમાસ

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે સાથોસાથ કર્મના દેવ પણ માનવામાં આવે છે. 4 મેના રોજ શનિવારે આ અમાસ આવતી હોવાને કારણે શનેશ્વરી અમાસ છે. આ દિવસે ખાસ શનિદેવની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે લોકોને શનિની સાડાસાતી હોય એવા લોકોએ આ દિવસે ખાસ શનિદેવના દર્શન કરવા જોઈએ અને પૂજા પણ કરવી જોઈએ.
અક્ષયતૃતિયા

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસને અક્ષયતૃતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભકાર્ય કરી શકાય છે. ખાસ કરીને સોનાની ખરીદીનો બેસ્ટ સમય અક્ષય તૃતિયાને માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે પર્શુરામ જયંતિ પણ ઉજવાય છે. આ દિવસથી ત્રેતાયુગનો આરંભ થયો હતો એવું પણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુંએ પોતાના પર્શુરામ અવતાર સિવાય નર-નારાયણનો અવતાર પણ લીધો હતો.
શંકરાચાર્ય જયંતિ

વૈશાખ મહિનાની શુક્લપક્ષની પાંચમના દિવસે હિન્દુધર્મને ફેલાવો કરનારા સંત શંકરાચાર્યનો જન્મ થયો હતો. આ વખતે 9 મે ના રોજ આ તીથિ આવી રહી છે. શંકરાચાર્યનો જન્મ 788ઈ. માં કેરળના કાષલ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ સુભદ્રા હતું. તેમના પિતા શિવજીના ભક્ત હતા.આ દિવસે સુરદાય જયંતિ પણ ઉજવાય છે. સુરદાય જન્મથી જ અંધ હતા.
રામાનુજાચાર્ય જયંતિ

રામાનુજાચાર્યનો જન્મ 1017ઈ. સદીમાં દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.બાળપણમાં કાંચી જઈને પોતાના ગુરુ યાદવ પ્રકાશ પાસેથી વેદનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે અનેક લોકોને ધર્મનો રસ્તો દેખાડ્યો હતો. શિષ્ય કબીર અને સુરદાર તેમના મુખ્ય શિષ્ય હતા.
ગંગા સાતમ

આસ્થાની દેવી અને નદી ગંગાની પણ ઉજવણી કરવામાં આવે છે. વૈશાખ માહિનાની શુક્લપક્ષની સાતમના રોજ ગંગા સપ્તમી એટલે કે સાતમ ઉજવાય છે. ગંગા સ્વર્ગમાંથી નીકળીને ભગવાન શિવજીની જટામાં સમાયા હતા. ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી વિશેષ લાભ થાય છે. પાપમુક્તિ પણ મળે છે. આ ઉપરાંત જીવન પણ દુઃખ મુક્ત થાય છે.
જાનકી નવમી

જે દિવસે સીતાજી પ્રગટ થયા હતા તે દિવસને સીતા નવમી પણ કહે છે. શાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નોમના દિવસે પુષ્ય નક્ષત્રમાં મહારાજ જનકને ધરતીમાંથી એક બાળકી મળી આવી હતી. આ દિવસે વ્રત કરવાથી માતા સીતા જેવી પવિત્રતા જીવનમાં આવે છે. આ દિવસે ખાસ સીતાજીની પૂજા કરવામાં આવે છે. 13 મે ના રોજ આ વખતે જાનકી નવમી આવી રહી છે.
મોહિની અગિયારસ

વૈશાખ પક્ષની 11મી તિથી મોહિની એકાદશી તરીકે ઉજવાય છે. આ વ્રત કરવાથી કોઈ પણ પાપમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગુરુ વશિષ્ટના કહેવાથી ભગવાન રામે પણ આ વ્રત કર્યું હતું. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના કહેવાથી રાજા યુધિષ્ઠિરે મોહિની અગિયારસ કરી હતી. આ વખતે 15 મે ના રોજ આ તિથી આવી રહી છે.
નૃસિંહ જયંતિ

હિન્દુ ધર્મ અનુસાર આ જયંતિનું ખાસ મહત્ત્વ છે જે 17 મે ના રોજ આવી રહી છે. આ દિવસે જ ભગવાન વિષ્ણુંએ પોતાના ભક્ત પ્રહલાદને રાક્ષસ હિરણાકશ્યપના ત્રાસમાંથી મુક્તિ આપી હતી. અડધું શરીર નરનું અને બાકીનું શરીર સિંહના રુપમાં તેમણે આ અવતાર લીધો હતો. આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તના તમામ દુઃખ દૂર થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2Ya1ASB
No comments:
Post a Comment