આ કારણે તૂટશે બંગલાની દિવાલ
મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જુહું સ્થિત બંગલો પર બુલડોઝર ફેરવી શકે છે. બીએમસી અમિતાભના બંગલોની કમ્પાઉન્ડ વોલ તોડશે કારણ અહીં રસ્તાઓ પહોળા કરવાનું કામ શરુ થશે. રિપોર્ટ અનુસાર હાલ આ રસ્તો 45 ફૂડ પહોળો છે અને રસ્તાઓ નાના હોવાને કારણે અહીં ખૂબ મશ્કેલીઓ પડી રહી છે. અમિતાભ બચ્ચનના બંગલાની દિવાલ તોડીને સંત જ્ઞાનેશ્વર રોડને પહોળો કરવામાં આવશે. આ રસ્તો ચંદન સિનેમા એરિયાને લિંક રોડથી જોડે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
60 ફૂટનો રસ્તો કરાશે

હાલમાં 45 ફૂટના આ રસ્તાને તોડીને વ્યવસ્થિત રિપેર કરીને 60 ફૂટનો કરી દેવામાં આવશે. અમિતાભ બચ્ચન સાથે તેમના પાડોશી કેવી સત્યમૂર્તિના બંગલાના એક ભાગને રસ્તામાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના બંગલાની દિવાલ પણ તોડી પાડવામાં આવશે. જોકે, તેમના પાડોશીએ બીએમસી પર પક્ષપાત કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. પાડોશીએ જણાવ્યું હતું કે, બીએમસીનું વલણ ખૂબ જ પક્ષપાતી છે.
હજુ સુધી યથાવત છે દિવાલ

હજુ સુધી અમિતાભના બંગલાની દિવાલ યથાવત છે. કોઈ ભાગ તોડવામાં આવ્યો નથી. મારા ઘરની દિવાલ તોડીને તે અમિતાભ બચ્ચનની દિવાલ પર દબાણ વધારવા માગે છે. જોકે, રસ્તો પહોળો કરવાની કોઈ જરુર નથી. કારણે રસ્તાની સાઈઝ અમે સોંપી દીધી છે. જે પ્રમાણે હાલમાં રસ્તો 60 ફૂટનો જ છે. બીએમસીના અધિકારીએ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચની દિવાલને લઈને ટૂંક જ સમયમાં કામ શરુ થશે
અમિતાભને પણ જાણ થઈ ચૂકી છે

હાલમાં આ રસ્તાના કામના લઈને અમિતાભ બચ્ચનને પણ જાણ કરવામાં આવી છે. પરંતુ, આ અંગે તેમણે કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી. ફિલ્મની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચનની છેલ્લે બદલા ફિલ્મ આવી હતી. હાલમાં તે સાઉથની ફિલ્મ ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’ના શુટિંગ સેટ પર શોટ માટે જવાના હતા. પણ એ પહેલા આ ફિલ્મના સેટ પર શોક સર્કિટને કારણે આગ લાગી હતી. જેથી થોડા દિવસો માટે ફિલ્મનું શુટિંગ અટકી ગયું છે. એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ZMgxf0
No comments:
Post a Comment