Latest

Friday, May 17, 2019

પ્રજ્ઞાના નિવેદન પર મોદી ગુસ્સે, કહ્યું- મનથી માફ નહીં કરી શકું

ભોપાલઃમહાત્મા ગાંધીની હત્યા કરનાર કરનાર નાથુરામ ગોડસેને દેશભક્ત કહીને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રાજકીય વિવાદનો મધપુડો ઉડાવ્યો છે. પ્રજ્ઞા ઠાકુર મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ તે પૂરી રીતે ઘેરાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ જ નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આકરા શબ્દોમાં આ નિવેદન સામે નિંદા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કડક અંદાજમાં કહ્યું હતું કે, પ્રજ્ઞા અને બીજા કેટલાક લોકો જે બાપુ અને ગોડસે વિશે નિવેદન આપી રહ્યા છે તેઓ ખરાબ છે. પ્રજ્ઞાએ ભલે માફી માગી લીધી હોય પણ હું ક્યારેય દિલથી માફ નહીં કરી શકું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ટીકાપાત્ર નિવેદન

પીએમ નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે, ગાંધી અને ગોડસેના સંબંધો ભયંકર રીતે ખરાબ રહ્યા છે. ઘૃણાને લાયક છે. ટીકાપાત્ર છે. સભ્ય સમાજમાં એવી કોઈ વાત ન કરવી જોઈએ. આવું કહેનારા વિશે હવે 100 વખત વિચાર કરવો પડશે. તેણે ભલે માફી માગી લીધી હોય પણ હું ક્યારેય તેમને દિલથી માફ નહીં કરી શકું. માલેગાવ બ્લાસ્ટને લઈને ભોપાલ સીટ પરથી ઉમેદવારી નોંધવતા પ્રજ્ઞા ઠાકુર સામે વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા. છતાં ભાજપના કેટલાક નેતાઓએ સાધ્વનું સમર્થન કર્યું હતું. હવે સાધ્વીના આ પ્રકારના નિવેદનથી પક્ષને નુકસાન થઈ રહ્યું છે.

સાધ્વીનો વિપક્ષે વિરોધ કર્યો

આ નિવેદન બાદ વિપક્ષ એકાએક સક્રિય થઈ ગયો હતો. વિપક્ષે જણાવ્યું હતું કે,ભોપાલ સીટ પર ચૂંટણી થયા બાદ હવે પીએમ મોદી પ્રજ્ઞાનો વિરોધ કરી રહ્યા છે. આ કામ તેમને પહેલા કરવું જોઈતું હતું. આ પહેલા નાથુરામ ગોડસે પર ભાજપના નેતા પ્રજ્ઞા ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનંત હેગડે અને સાંસદ નલીન કટીલે નિવેદન કરેલા છે. ત્યાર બાદ રાજકીય બબાલ મચી ગઈ હતી. હવે ભાજપે સ્પષ્ટતા કરી છે. અમિત શાહે કહ્યું હતું કે, આ ત્રણ નેતાઓના નિવેદન તેમનું પોતાનું રહ્યું છે. પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. શિસ્ત સંચાલન સમિતી તમામ નેતાઓ પાસેથી જવાબ માગશે ત્યાર બાદ 10 દિવસમાં રીપોર્ટ તૈયાર થશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2QhDDpL

No comments:

Post a Comment

Pages