ડ્રાઈવરે બચાવ્યો ગુજરાતના યાત્રીઓનો જીવ

ઋષિકેશ: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારના રોજ એક બસ દુર્ઘટનાનો શિકાર થતા બચી ગઈ. ગુજરાતના યાત્રીઓને લઈને ગંગોત્રી યાત્રા પર આવેલી એક બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું. પરંતુ, મૃત્યુ પહેલા આ ડ્રાઈવરે 30 યાત્રીઓથી ભરેલી આ બસને રોકી લીધી અને તેમનો જીવ બચાવ્યો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સુરતના 30 યાત્રીઓ ગંગોત્રી દર્શન કરવા આવ્યા હતા

પ્રાપ્ત માહિતી મુજબ ગંગોત્રી ધામ યાત્રા પર આવેલા ગુજરાત, સુરતના 30 યાત્રી દર્શન કરીને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. મૃતક ડ્રાઈવર ભરત પંવાર ઋષિકેશનો નિવાસી હતો અને તે આ યાત્રીઓથી ભરેલી બસ ચલાવી રહ્યો હતો. બસ ચલાવતી વખતે આ ડ્રાઈવરની અચાનક તબિયત બગડી અને તેણે બહાદુરીપૂર્વક આ બસને રસ્તાની એકબાજુએ ઊભી રાખી દીધી અને યાત્રીઓના જીવ બચાવ્યા.
ડ્રાઈવરને બસ ચલાવતી વખતે હાર્ટ અટેક આવ્યો અને…

ડ્રાઈવરની તબિયત વધુ ખરાબ થવાના કારણે બસમાં સવાર કેટલાંક યાત્રીઓ આ ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં આ ડ્રાઈવરને મૃત જાહેર કરવામાં આવ્યો. બસના યાત્રીઓએ જણાવ્યું કે ડ્રાઈવરને બસ ચલાવતી વખતે અચાનક હાર્ટ અટેક આવ્યો તેમ છતાં તેણે કુશળતાપૂર્વક બસને રસ્તાની એકબાજુ ઊભી રાખી અને યાત્રીઓનો જીવ બચાવ્યો. (તસવીરો પ્રતીકાત્મક છે)
from Page Array – I Am Gujarat http://bit.ly/2w6sTBg
No comments:
Post a Comment