CSKનો ખેલાડી ઈજાગ્રસ્ત

મોહાલીમાં રવિવારે રમાયેલી આઈપીએલની મેચમાં વર્લ્ડકપ માટે સિલેક્ટ કરાયેલી ટીમ ઈન્ડિયાનો એક મોટો ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. હકીકતમાં ચેન્નઈ સુપરકિંગ્સના ઓલરાઉન્ડર કેદાર જાધવને ફિલ્ડિંગ દરમિયાન ઈજા થઈ. તેની ઈજાના ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સોમવારે કરાશે હાથનો એક્સ-રે

રવિવારે ચેન્નઈ અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચમાં પંજાબની બેટિંગ દરમિયાન 14મી ઓવરમાં જાધવને ઈજા થઈ. જે બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે સોમવારે કેદાર જાધવનો એક્સ-રે સ્કેન કરવામાં આવશે.
CSKની બાકીની મેચોમાં નહી દેખાય

કોચ ફ્લેમિંગે કહ્યું કે મને લાગતું કે આપણે જાધવને ટૂર્નામેન્ટની બાકીની સીઝનમાં ફરીથી ચેન્નઈ માટે રમતા જોઈ શકીશું. તેમણે કહ્યું જાધવ મુશ્કેલીમાં છે. તેની આંગળીઓ વળી ગઈ હતી, આ વધારે ગંભીર નથી, પરંતુ આ ઈજા સામાન્ય પણ નથી.
ફિલ્ડીંગ દરમિયાન ડાઈવ મારતા ઈજા

આ મેચમાં ફાફ ડુ પ્લેસિસ અને સુરેશ રૈનાની ધમાકેદાર ઈનિંગ અને 120 રનની પાર્ટનરશિપથી ચેન્નઈ સુપરકિંગ્સે 5 વિકેટે 170 રન બનાવ્યા હતા. બાદમાં પંજાબની ટીમ બેટિંગમાં ઉતરી તે દરમિયાન આ ઘટના બની હતી. બ્રાવોની 14મી ઓવરના બીજા બોલ પર પૂરને શોટ માર્યો. જે બાદ જાડેજાએ બોલ થ્રો કર્યો. જેને પકડવા માટે કેદાર જાધવ દોડ્યો અને ચોગ્ગો બચાવવા ડાઈમ મારી. આ દરમિયાન તેને ઈજા થઈ.
રિષભ પંતને વર્લ્ડકપમાં સ્થાન મળી શકે

જણાવી દઈએ કે આગામી આઈસીસી વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ઓલ રાઉન્ડર કેદાર જાધવનું નામ શામેલ છે. એવામાં આઈપીએલની મેચમાં તેને ઈજા થવાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી શકે છે. વર્લ્ડકપ ટૂર્નામેન્ટ માટે રવાના થતા પહેલા જો તે સાજો નહીં થાય તો રિષભ પંતને તક મળી શકે છે. સેલેક્ટર્સે હાલમાં રિષભ પંતને સ્ટેન્ડબાય પર રાખ્યો છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2WuOQ8w
No comments:
Post a Comment