ઓરિસ્સામાં Fani ચક્રવાતનું સંકટ

ભુવનેશ્વરઃ ઓરિસ્સાના તટ પર Fani ચક્રવાત તોફાન સામે પ્રશાસન તૈયારીમાં લાગી ગયું છે. રાજ્ય સરકારે તટીય અને નીચાણવાળા વિસ્તારમાં રહેલા લગભગ 8 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓની રજા 15 મે સુધી રદ કરી દેવાઈ છે. કોઈપણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા નૌસેના, નેવીના જહાજ અને હેલિકોપ્ટર, તથા NDRFની ટીમોને મહત્વપૂર્ણ સ્થળે તહેનાત કરાયા છે. ભુવનેશ્વરમાં હવામાન ખાતાના ડિરેક્ટર એચ.આર બિસ્વાસે જણાવ્યું કે, આજે દક્ષિણ ઓરિસ્સાના મોટાભાગના વિસ્તારો અને અંદરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. રાજ્યના બધા 11 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આંધ્ર પ્રદેશમાં વરસાદ શરૂ
Andhra Pradesh: National Disaster Response Force (NDRF) team arrives in Ichchapuram, Srikakulam in view of #CycloneFani. pic.twitter.com/jr3UafGyBZ
— ANI (@ANI) May 2, 2019
Fani તોફાનની મહત્તમ સ્પીડ 175થી 185 કિમી પ્રતિ કલાક આસપાસ હશે, જે 205 કિમી પ્રતિ કલાક પહોંચી શકે છે. આ ઉપરાંત 103 ટ્રેનોને રદ કરી દેવાઈ છે. આંધ્ર પ્રદેશના તટીય જિલ્લા શ્રીકાકુલમના પોડુગુપડુ ગામમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે.
તટીય વિસ્તારોને ખાલી કરવાનો આદેશ

કેટલાક સંવેદનશીલ વિસ્તારોને મુખ્યમંત્રીએ મીટિંગ દરમિયાન તટીય વિસ્તારોને 100 ટા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સીએમ પટનાયકે મીટિંગ બાદ લોકોને અપીલ કરીને સૌથી પહેલા મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તથા દિવ્યાંગ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડે. Faniના કારણે પ્રભાવિત થનારી 103 ટ્રેનોને રદ કરી દેવાઈ છે.
NDRFની ટીમો ખડેપગ
Bhubaneswar: Preparations underway by Odisha Fire Services in view of "extremely severe" cyclonic storm #Fani. Around 50 teams of six members each are on alert in the city. #Odisha (01.05.19) pic.twitter.com/RCr4OOFwt5
— ANI (@ANI) May 1, 2019
Faniના ભારતીય પૂર્વિય તટ પર આગળ વધવા પર નૌસેના અને NDRFની ટીમો તહેનાત કરાઈ છે. સેના તથા વાયુસેનાની ટુકડીઓ તૈયાર રખાઈ છે. એનડીઆરએફે આંધ્ર પ્રદેશમાં 41 ટીમો, ઓરિસ્સામાં 28 ટીમે અને પશ્ચિમ બંગાળમાં 5 ટીમો તહેનાત છે.
સ્કૂલ-કોલેજોમાં રજાઓ જાહેર

આ વચ્ચે ઓરિસ્સામાં એલર્ટ જાહેર કરતા સ્કૂલો અને કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવાઈ છે તથા પરીક્ષાનો સમય બદલવા માટે પણ આદેશ અપાયો છે. તો ઓરિસ્સા સરકારે ટૂરિસ્ટોને તટીય વિસ્તારથી દૂર રહેવા માટે કહ્યું છે. હવામાન વિભાગે ઓરિસ્સા માટે યેલો વોર્નિંગ જાહેર કરી છે. એવી પણ આશંકા છે કે પાછલા વર્ષએ આવેલા ‘તિતલી’ ચક્રવાતથી પણ વધારે ખતરનાક Fani ચક્રવાત હોઈ શકે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2LhHDHC
No comments:
Post a Comment