અનંદિતા મનકોટિયા/અરુણ કુમાર
નવી દિલ્હી:ભારતી એરટેલ અને બ્રિટનની વોડાફોન Plc ટૂંક સમયમાં મર્જ થનારી ભારતી ઇન્ફ્રાટેલ-ઇન્ડસ ટાવર્સ એન્ટિટીમાં લગભગ 50 ટકા હિસ્સો ઘટાડવા PE ફર્મ KKRની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ સાથે વાટાઘાટ કરી રહી છે. સોદાને કારણે કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર થશે અને તે વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની બનશે.
સૂત્રએ જણાવ્યું હતું કે, “સંયુક્ત કંપનીનું વેલ્યુએશન 12-13 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સના મર્જર પછી ભારતી એરટેલ અને વોડાફોન ગ્રૂપ હિસ્સો ઘટાડીને 13-13 ટકા કરવાનું વિચારી રહ્યા છે.” મર્જર પછી કંપનીમાં ભારતી એરટેલ અને વોડાફોન ગ્રૂપનો હિસ્સો અનુક્રમે 37.2 ટકા અને 29.4 ટકા થશે.
ભારતી ઇન્ફ્રાટેલમાં હાલના 10 ટકા હિસ્સાને કારણે KKR અને કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIB)નો સંયુક્ત કંપનીમાં હિસ્સો 6 ટકા રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલ અને વોડાફોન ગ્રૂપ અત્યારે ઇન્ડસ ટાવર્સમાં 42 ટકા હિસ્સો ધરાવે છે. વોડાફોન આઇડિયાનો ઇન્ડસમાં હિસ્સો 11 ટકા છે અને મર્જર વખતે તે એક્ઝિટ કરે તેવી શક્યતા છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, “મર્જર પછી ભારતી એરટેલ અને વોડાફોન ગ્રૂપ KKR, CPPIB અને અન્ય કેટલાકને વેચાણ કરી હિસ્સો ઘટાડશે.” મર્જ થયેલી કંપનીમાં આખરે KKRનો હિસ્સો 25-32 ટકાની રેન્જમાં રહેશે. નવી કંપની પાસે 1,60,000 ટાવર્સ હશે.
જેમાં CPPIB અને અન્ય કેટલાક રોકાણકારો લઘુમતી હિસ્સો ધરાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતી એરટેલ અને વોડાફોન ગ્રૂપ પ્રારંભિક તબક્કે ઓછામાં ઓછો 13 ટકા હિસ્સો જાળવે તેવી શક્યતા છે, જે તેમને કોઇ પણ કરાર માટે વિટો પાવર અને ગ્રાહકો સાથે કોન્ટ્રાક્ટ રદ કરવા સહિતના અધિકાર આપશે. જોકે, વોડાફોન ગ્રૂપ આખરે ટાવર કંપનીમાંથી સંપૂર્ણ બહાર નીકળશે એવો અંદાજ છે.
ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સના મર્જરની મંજૂરીનો કેસ 14 મેના રોજ NCLTમાં ચાલશે. સૂત્રએ કહ્યું હતું કે, “નવી એન્ટિટીમાં હિસ્સાનું વેચાણ જૂન સુધીમાં પૂરું થવાની ધારણા છે.” વોડાફોન ગ્રૂપે આ બાબતે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે ભારતી એરટેલ અને KKRએ ઇ-મેઇલ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.
મર્જર પછીની નવી કંપનીને 13 અબજ ડોલરનું વેલ્યુએશન મળશે તો ભારતી એરટેલ હિસ્સો 37 ટકાથી ઘટાડી 13 ટકા કરીને ₹22,400 કરોડ (3.2 અબજ ડોલર) એકત્ર કરી શકશે. એવી રીતે વોડાફોન ગ્રૂપ હિસ્સો 29 ટકાથી ઘટાડી 13 ટકા કરશે અને તેને લગભગ 2.1 અબજ ડોલર મળશે. BSE પર મંગળવારે ભારતી ઇન્ફ્રાટેલનો શેર 3.8 ટકા ઘટીને ₹261.85, ભારતી એરટેલ 1.4 ટકા ઘટીને ₹320.20 અને વોડાફોન આઇડિયાનો શેર 4.6 ટકા ઘટીને ₹15.60ના મથાળે બંધ રહ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VJG21g
No comments:
Post a Comment