Latest

Friday, May 10, 2019

IL&FS કેસની તપાસ LIC સુધી પહોંચી



69261918

રીના ઝકરિયા/રશ્મિ રાજપૂત

મુંબઈ:ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (IL&FS)ના કેસમાં સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)એ તેની તપાસને એલઆઇસીના અધિકારીઓ સુધી લંબાવી છે. IL&FSમાં એલઆઇસી સૌથી મોટી શેરધારક છે અને તેનો હિસ્સો 25 ટકા છે. તે IL&FSના બોર્ડમાં તેના પ્રતિનિધિ પણ ધરાવે છે.

SFIOએ તાજેતરમાં એલઆઇસીના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બરની પૂછપરછ કરી છે. એજન્સી જાણવા ઇચ્છે છે કે એલઆઇસી IL&FSના લેણદારોમાં એક છે ત્યારે IL&FS ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IFIN) દ્વારા ITNL ( IL&FS ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ લિમિટેડ)ને ફંડિંગ કેવી રીતે થયું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

IL&FS ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IFIN)એ ITNL (IL&FS ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ લિમિટેડ)ને ફાઇનાન્સ કરવાનો નિર્ણય લીધો ત્યારે લેણદારોને તેની માહિતી હતી કે નહીં તે SFIO જાણવા માંગે છે. એલઆઇસીના ભૂતપૂર્વ ડિરેક્ટરની પૂછપરછ કરવામાં આવી તેમાં આ એક સૌથી મહત્ત્વની બાબત હતી, તેમ આ અંગે જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું.

સૂત્રએ ઉમેર્યું હતું કે હાલમાં IFINની અનિયમિતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, એક વખત IFIN પરનો વચગાળાનો અહેવાલ આવશે ત્યારે તેના પછી તપાસનું કેન્દ્ર IL&FS રહેશે. એલઆઇસીના અધિકારીઓને SFIO પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના છે. આ અંગે એલઆઇસીને મોકલવામાં આવેલી પ્રશ્નાવલિ અનુત્તરિત રહી હતી.

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના તપાસકર્તા એકમે IL&FSમાં અન્ય શેરધારકોની ભૂમિકાની તપાસની પણ વાત કરી છે. તાજેતરમાં તેણે IL&FSને ટૂંકા ગાળાની લોન આપનારી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓની આ સંદર્ભમાં ઊલટતપાસ લીધી હતી. IL&FSમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો 7.76 ટકા હિસ્સો છે.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે તેઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે અને તે એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવનારા અંતિમ અહેવાલનો હિસ્સો હશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ અંગે ઇટીએ મોકલેલી પ્રશ્નાવલિને નકારી છે. આઇઆઇટીએનલમાં ભંડોળનો ઉમેરો કરવાની બાબત ગ્રાન્ટ થોર્ન્ટને સુપરત કરેલા વચગાળાના અહેવાલમાં તેની વિગત આપી છે. આ કહેવાતાં તારણો અંગે ડાયરેક્ટરો અને શેરધારકોની પૂછપરછ કરવામાં આવશે, એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.

SFIOની વચગાળાની તપાસમાં જણાવાયું છે કે આઇફિને આઇટીએનએલને એડ્વાન્સ લોન આપીને રિઝર્વ બેન્કના ગ્રૂપ કંપનીઓના એક્સપોઝરના ધારાધોરણનો ભંગ કર્યો હતો. રિઝર્વ બેન્કના ધારાધોરણોનો ભંગ કરીને છેવટે આઇટીએનએલને લોન આપવામાં આવી હતી અને તેના માટે IL&FSની આઠ ગ્રૂપ કંપનીઓનો સ્તર રચવામાં આવ્યો હતો.

એજન્સીની તપાસ વધુ જણાવે છે લોનને કોઈ પણ સ્પષ્ટ હેતુ વગર મંજૂરી આપવામાં આવી હતી અથવા તો કોઈ ખાસ પ્રોજેક્ટ વગર મંજૂર કરાઈ હતી. ઊંચા મૂલ્યની લોન માટે ખાસ હેતુ દર્શાવવો પડે છે અથવા તો કોઈ ખાસ પ્રોજેક્ટ હાથમાં છે અને પ્રોજેક્ટ હોય તો તેનો શક્યતાદર્શી અહેવાલ દર્શાવવો પડે છે, પરંતુ અહીં આવું કશું કરાયું ન હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2LJi96a

No comments:

Post a Comment

Pages