Latest

Sunday, May 12, 2019

IPL 12 Final, CSKvsMI: આ વખતે આઈપીએલમાં કોણ બાજી મારશે

IPL 12 Final, CSKvsMI

હૈદરાબાદઃ દેશમાં લોકસભા અને આઈપીએલની ગરમાગરમી એક સાથે શરુ થઈ હતી. દેશવાસીઓએ લોકોસભાની ચૂંટણીના પરિમાણ માટે રાહ જોવી પડશે પણ આઈપીએલ 12ની સિઝનમાં બાદશાહ કોણ બનશે તેનો ફેંસલો આજે આવી જશે. આશા અનુરુપ ચૈન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ 8મી વખત ફાઈલનમાં પહોંચ્યું છે તો મુંબઈ ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. બન્ને આ વખતે ત્રણ વખત જીત હાંસલ કરી છે. હવે જોવાનું એ છે કે, ચોથી વખત મેચ પર કોણ કબ્જો મેળવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પંડ્યા બ્રધર્સ મહત્વનો રોલ ભજવશે

T20 ક્રિક્ટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવનારા ખેલાડીઓની મહત્વની ભૂમિકા હોય છે. આ મામલે મુંબઈ ઈન્ડિયનનું પલડું ભારે છે. મુંબઈ પાસે પંડ્યા બ્રધર્સ છે, મુંબઈમાં હાર્દિક (રન 386, વિકેટ 14) અને કૃણાલ (રન 176, વિકેટ 11) સાથે વિસ્ફોટક કાયરન પોલાર્ડ (રન 238, વિકેટ 0) પણ છે. ખાસ કરીને પંડ્યા બ્રધર્સે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી વિરોધીઓને હંફાવ્યા છે. પોલાર્ડને બોલિંગનો વધારે ચાન્સ નથી મળ્યો. બીજા તરફ ચેન્નાઈમાં રવિન્દ્ર જાડેજા (રન 101, વિકેટ 15) પ્રભાવિત કરી શક્યો છે. ડ્વેન બ્રાવો (રન 65, વિકેટ 11)ને બેટથી વધારે પ્રદર્શનથી તક મળી નથી.

ફિરકીમાં ફસાવશે સુપરકિંગ્સ

મુંબઈની મજબૂતી તેના ફાસ્ટ બોલર્સ છે તો ચેન્નાઈ પાસે ઈમરાન તાહિર (16 મેચ- 24 વિકેટ), હરભજન સિંહ (10 મેચ, 16 વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (15 મેચ, 15 વિકેટ) જેવા ફિરકીબાજો છે, જે મુંબઈના ખેલાડીઓને આંગળી પર નચાવી શકે છે. આ ત્રણે બોલરોએ વિકેટ અપાવવાની સાથે સાથે રન રોકવાની તકાત પણ છે. જોકે, ચેન્નાઈના બેટ્સમેનો માટે જસપ્રીત બુમરા (15 મેચ, 17 વિકેટ) અને લસિથ મલિંગા (11 મેચ, 15 વિકેટ)ના યોર્કર સામે રમવું આસાન નહીં હોય. મુંબઈમાં સ્પિન વિભાગમાં યુવા સ્પિનર રાહુલ ચાહર (12 મેચ, 12 વિકેટ) રહેશે.

ધોની છે કે શક્ય છે

ચેન્નાઈ સુપર કિંગસના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે, તેને દુનિયાના સારા ફિનિશરોમાં શા માટે ગણવામાં આવે છે. તે જબરજસ્ત ફોર્મ છે અને ટીમ તરફથી 14 મેચમાં સૌથી વધુ 414 રન બનાવ્યા છે. ધોનીએ મુશ્કેલ સ્થિતિમાં ટીમને સંકટમાંથી ઉગારી છે. ફેન્સ હજુ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ધોનીએ રમેલી 84 રનની ઈનિંગ્સ ભૂલ્યા નથી. ભલે ટીમ એ મેચ 1 રનથી હારી ગઈ હોય પણ તેણે બતાવી દીધું હતું કે તે ક્રીઝ પર હોય તો વિરોધીઓ શાંતિથી શ્વાસ પણ નથી લઈ શકતા. ધોનીએ ઘણી વખત સાબિત કર્યું છે કે તેને શા માટે સારો ફિનિશર માનવામાં આવે છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30cJIYO

No comments:

Post a Comment

Pages