Latest

Thursday, May 9, 2019

ફિલપકાર્ટની ભ્રષ્ટાચાર વિરોધી પોલિસી: વેન્ડર્સના ઓડિટ માટે KPMGની નિમણૂક

69245089

નવી દિલ્હી: ફિલપકાર્ટ વોલમાર્ટના લાંચવિરોધી વૈશ્વિક કમ્પ્લાયન્સ પ્રોગ્રામના ભાગરૂપે વેન્ડર્સના ડ્યુ ડિલિજન્સ માટે KPMGની નિમણૂક કરી છે.

ફ્લિપકાર્ટના વેન્ડર્સ માટેનું હાલનું પગલું વોલમાર્ટે 2012થી ભારતમાં KPMG દ્વારા શરૂ કરેલી ઝુંબેશ જેવું છે. વોલમાર્ટે અગાઉ US લો ઓફ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ (FCPA) હેઠળ વૈશ્વિક કમ્પ્લાયન્સ પ્રક્રિયાના ભાગરૂપે ભારત ખાતેના હોલસેલ રિટેલ સાહસમાં વેન્ડર્સનું સ્ક્રિનિંગ શરૂ કર્યું હતું.

આ કાયદો અમેરિકાની લિસ્ટેડ કંપનીઓને અન્ય કોઈ દેશમાં ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ કરતા અટકાવે છે. મેક્સિકો યૂનિટમાં ભ્રષ્ટાચારના કૌભાંડને કારણે વોલમાર્ટને ભારત સહિતના દેશોમાં કમ્પલાયન્સ પદ્ધતિ ચૂસ્ત કરવાની ફરજ પડી હતી.

વોલમાર્ટે FCPA કમ્પલાયન્સ પર ધ્યાન કેન્દ્રીચ કરવા 2011થી હોલસેલ સ્ટોર્સનું વિસ્તરણ બંધ કર્યું હતું. હવે કંપની FCPA કમ્પલાયન્સ પ્રોગ્રામ ફિલપકાર્ટ માટે પણ લાગુ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વોલમાર્ટે 16 અબજ ડોલરમાં ફિલપકાર્ટને ખરીદી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ફિલપકાર્ટે કેટલાંક વેન્ડર્સને વિસ્તૃત ફોર્મ્સ આપવાનું શરૂ કર્યું છે. ઉપરાંત, કંપની ફિલપકાર્ટ હોલસેલના સપ્લાયર્સ અને માર્કેટપ્લેસ પર મોટું વેચાણ કરતા વેન્ડર્સ પાસે ફિલપકાર્ટે નીમેલા સ્વતંત્ર ઓડિટર્સ દ્વારા તેમના હિસાબોના વાર્ષિક ઓડિટની મંજૂરી માંગી રહી છે.

ET દ્વારા સમીક્ષા કરાયેલા ફિલપકાર્ટના ફોર્મની વિગત અનુસાર “કંપની નિર્ધારિત પોલિસી, ધોરણો, પ્રક્રિયાઓ અને કમ્પલાયન્સનું પાલન કરે છે કે નહીં એ ચકાસવા વર્ષમાં ઓછામાં ઓછા એક વખત સ્વતંત્ર સમીક્ષા અને મૂલ્યાંકન જરૂરી છે. ગ્રાહકના હિસાબોનું ઓડિટ કરવાની મંજૂરી કરાર કરતાં પહેલાં લેવાશે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2PWLqJ4

No comments:

Post a Comment

Pages