Latest

Friday, May 17, 2019

ડેટ રિઝોલ્યૂશન: બેન્કોને નિર્દેશ માટે RBIને વધુ સત્તા આપવાની વિચારણા



69368868

ધીરજ તિવારી

નવી દિલ્હી:સરકાર સ્ટ્રેસ્ડ એસેટ્સના મુદ્દે ધિરાણકારોને નિર્દેશ આપવા RBIને વધુ સત્તા આપવાની વિચારણા કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયામાં અમુક અંશે RBIનું નિયમન સંબંધી સુપરવિઝન જરૂરી હોવાનો મત સરકારમાં વધી રહ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બાબતને બેન્કોની વિવેકબુદ્ધિ પર છોડી શકાય નહીં. અમુક અંશે રેગ્યુલેટરી સુપરવિઝન હોવું જ જોઈએ અને એ કામ બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર દ્વારા થવું જરૂરી છે.”

સુપ્રીમ કોર્ટે અગાઉ RBIનો સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન અંગેનો 12 ફેબ્રુઆરી 2018નો સર્ક્યુલર રદ કરી દીધો હતો. જોકે, બેન્કો પોતે સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશનની પ્રક્રિયા આગળ વધારી શકે. જોકે, સરકાર રેગ્યુલેટરની નજર હેઠળ વધુ મજબૂત માળખું તૈયાર કરવાની યોજના ધરાવે છે.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 35AA હેઠળ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ની જોગવાઈ હેઠળ ડિફોલ્ટ થયા પછી ધિરાણકારોને ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપવાની સત્તા સરકાર RBIને આપી શકે. નાણામંત્રાલયના મતે RBIને વર્તમાન માળખામાં રહીને જ વધુ મજબૂત બનાવી શકાય. તેના માટે કાયદામાં કોઈ ફેરફારની જરૂર નથી. છતાં મંત્રાલય આખરી નિર્ણય લેતાં પહેલાં RBIની સ્ટ્રેસ્ડ એસેટ્સ અંગેની નવી માર્ગરેખાની રાહ જોશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે એ ફેરફાર કરીશું, પણ RBI સ્ટ્રેસ્ડ એસેટ્સ અંગે નવી માર્ગરેખા જાહેર કરે પછી.” તેમણે કહ્યું હતું કે, “ઊંચા મૂલ્યની સ્ટ્રેસ્ડ એસેટ્સના કેસને બેન્કરપ્સી કોર્ટમાં લઈ જવા માટે સમયમર્યાદા ઇચ્છનીય છે.” RBI ટૂંક સમયમાં સ્ટ્રેસ્ડ એસેટ્સ રિઝોલ્યુશન માટે નવી માર્ગરેખા જારી કરશે એવો અંદાજ છે.

સુપ્રીમ કોર્ટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 35AA અને 35AB હેઠળ RBIને અપાયેલી સત્તામાં તફાવત હોવાનું દર્શાવ્યું હતું. બે શરતોનો ઉલ્લેખ હોય તો જ RBI બેન્કોને IBC હેઠળ પ્રક્રિયાનો નિર્દેશ આપી શકે.

આ બે શરતોમાં કેન્દ્ર સરકારની મંજૂરી અને ચોક્કસ ડિફોલ્ટ માટેના નિર્દેશનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ એપ્રિલમાં ETને જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટ દ્વારા ફેબ્રુઆરી 2018નો સર્ક્યુલર રદ કરવાનો નિર્ણય ‘મોટી કટોકટી’ ન હતી. એ માત્ર પ્રક્રિયાત્મક આદેશ હતો. RBIનાં યોગ્ય પગલાં દ્વારા તેમાં સુધારો થઈ શકે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2HoqhF8

No comments:

Post a Comment

Pages