Latest

Friday, May 17, 2019

સારદા ચિટ ફંડ કૌભાંડઃ SCએ કોલાકાતાના પૂર્વ કમિશનરની ધરપકડ પરની રોક હટાવી

નવી દિલ્હીઃ સારદા ચિટ ફંડ કૌભાડ મામલે પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની ધરપકડ પર લાગેલી રોકને સુપ્રીમ કોર્ટે હટાવી દીધી છે. શુક્રવારે આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીબીઆઈ પોતાનું કામ કરી શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ નિર્ણય 7 દિવસ પછી લાગુ થશે. આ દરમિયાન રાજીવ કુમારે પોતાના તરફથી કાયદાકીય પગલું લેવા માટે સ્વતંત્રતા અપાઈ છે. આ નિર્ણય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મોટો ઝાટકો છે, જેઓ આ આખા મામલાને કેન્દ્ર સરકારનું ષડ્યંત્ર ગણાવતા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેંચે કહ્યું કે આજનો આદેશ 7 દિવસ પછી લાગુ થશે. ત્યાં સુધી પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની ધરપકડ નહીં થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 7 દિવસની સમય અવધીમાં કુમાર ઈચ્છે તો પોતાના જામીન માટે અરજી કોર્ટમાં દાખલ કરી શકે છે. જો તેમને આગોતરા જામીન ના મળે તો તપાસ એજન્સી તેમની ધરપકડ કરી શકે છે.

જણાવી દઈએ કે કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવ કુમાર પર કરોડો રુપિયાના સારદા ચિટફંડ કૌભાડના પૂરાવા નષ્ટ કરવાનો આરોપ છે. સીબીઆઈનો આરોપ છે કે, તાકતવાળા નેતાઓને બચાવવા માટે કુમારે કૌભાંડ સાથે જોડાયેલા પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી હતી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજીવ કુમારની ધરપકડ કરીને પૂછપરછની મંજૂરી માગી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચિટ ફંડ કૌભાંડની તપાસની પ્રગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે અત્યાર સુધી આ કેસની તપાસ જે રીતે આગળ વધી છે તે સંતોષજનક નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YvzEsk

No comments:

Post a Comment

Pages