Latest

Friday, May 10, 2019

View: મોદીનો ચૂંટણી પ્રચાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ની વાત સાથે કેમ સુસંગત લાગતો નથી

2014માં ‘સબકા સાથ, સબકા વિકાસ’ નારો હતો

2014માં પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે તેમનો નારો હતો સબકા સાથ, સબકા વિકાસ. આ નારો, તેમની પર બધાને સાથે લઈને ચાલતા ન હોવાના અને ભાજપ ધાર્મિક લઘુમતીઓનો વિરોધી હોવાના જે આરોપો લાગી રહ્યા છે તે ખોટા સાબિત કરવા માટે હતો. બધા માટે વિકાસ, પણ કોઈનું તુષ્ટિકરણ નહીં, એવા ભાજપના આક્રમક નારા ને બદલે આ નારો (સબકા સાથ, સબકા વિકાસ) તેની માયાળુ છબિ ઊભી કરે છે. જ્યારે ભાજપ ‘સબકા’ ટેગલાઈનનો ઉપયોગ કરે છે, ત્યારે તે એક રીતે વિરોધીઓ પર મુસ્લિમોના ‘તુષ્ટિકરણ’નો આરોપ લગાવી રહ્યો છે. મુસ્લિમ સમાજનું તુષ્ટિકરણ થતું હોવાનું તેમાં ખોટી રીતે દર્શાવાયું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મત બેંકમાં નવી ડિપોઝિટ્સ

‘મત બેંક’ના રાજકારણ સામે ભાજપના અથાગ પ્રચાર તેના માટે ચૂંટણીનું જળાશય ઊભું કરી દીધું છે. સ્માર્ટ નારાને દુનિયાએ વખાણ્યા. ભાજપે સત્તા સંભાળી તે પછી અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીએ જુલાઈ 2014માં ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે આ નારાના વખાણ કરતા કહ્યું હતું કે, ‘ઉત્તમ દ્રષ્ટિકોણ… વિભાવના, આ એ દ્રષ્ટિકોણ છે કે જેને અમે સમર્થન આપવા ઈચ્છીએ છીએ.’

બરાક ઓબામાએ કરી હતી આવી વાત

જ્યારે, જાન્યુઆરી 2015માં તેમના બોસ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ તેમની ભારતની મુલાકાત દરમિયાન ઈશારો કર્યો હતો કે, મોદીની યાદીમાંથી ‘સબકા’ ગુમ હોવાનું દેખાઈ રહ્યું છે. વિદેશી મહાનુભાવોની મુલાકાત દરમિયાનના સામાન્ય શિરસ્તાથી અલગ પોતાના સ્પષ્ટ અવલોકનમાં તેમણે કહ્યું હતું કે, ‘કોઈપણ સમાજ મનુષ્યના તીવ્ર આવેગોથી મુક્ત નથી રહી શકતો.’ અને કહ્યું હતું કે, ‘ભારત આટલી પ્રગતિ કરી શક્યો તેનું કારણ છે કે તેણે ધાર્મિક આસ્થાનો રસ્તો છોડ્યો નથી.’

‘મોદીના વચન અહીં ખોટા સાબિત થયા’

મોદીના સૌને સાથે લઈને ચાલવાના અને ભેદભાવ વિનાનું ભારત બનાવવાના વચન એ સમયે ખોટું સાબિત થયું કે જ્યારે તેમણે મુસ્લિમોને માનીતા તરીકે ચિતરવાના પૂરતા પ્રયાસ કર્યા. તેમણે આ બાબત સ્વીકારી જ નહીં કે, કેટલાક ચોક્કસ પ્રશ્નો મુસ્લિમો અને અન્ય લઘુમતી સમાજ પૂરતા જ સિમિત છે. સરકાર ભેદભાવ નથી કરતી તે દર્શાવવા એવી દલીલ કરવામાં આવી કે ઉજ્જવલા યોજના કે સ્વચ્છ ભારત અભિયાન જેવી સરકારી યોજનાઓમાં કોઈ ભેદભાવ કરાતો નથી.

‘મોદી કેટલાક વર્ગના જ નેતા બની રહ્યા’

પાંચ વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસના સિદ્ધાંત પર ઘણી યોજનાઓ ચલાવ્યા બાદ પણ મોદી કદાચ સર્વમાન્ય નેતા બનવાની નજીક નથી પહોંચી શક્યા. 2019નો પ્રચાર મોદી માટે ગુમાવેલી તકની કહાની બની રહી છે, કે જ્યાં કેટલાક લોકો દ્વારા તેમને કેટલાક વર્ગના નેતા જ માનવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રચારમાં મોદીએ પોતાની પકડ ધરાવતા ક્ષેત્રોમાં તાકાત વધારી છે. તેઓ તેમની (વાંચોઃ વિરોધીઓની) ટીકા કરતા રહ્યા, જેમણે પુલવામા-બાલાકોટ બાદ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. મોદી આ લોકો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પ્રત્યે ‘નરમ’ હોવાનું કહે છે.

‘રાહુલ પર હુમલો કરવામાં હકીકતને નજરઅંદાજ કરી’

રાહુલ ગાંધીએ જ્યારે બીજી ‘સલામત’ બેઠક પરથી લડવાનો નિર્ણય કર્યો તો મોદીએ તેમના પર પ્લાન બી માટે હુમલો કરવાની સાથે જ્યાં હિંદુઓ લઘુમતીમાં છે તેવી બેઠક પસંદ કરવા માટે ગાંધીની ટીકા પણ કરી. મોદી એ હકીકતને નજરઅંદાજ કરી રહ્યા છે કે, 50 લોકસભા બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમોના મત વધારે મહત્વ રાખે છે અને જો તેઓ બધા ભારતીયોના સાચા નેતા છે તો તેમણે એ બેઠકો સુધી પહોંચવું જોઈએ.

રાહુલ ગાંધીએ જ્યારે વાયનાડમાં ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે મુસ્લિમ લીગના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતા, જેના કારણે ભાજપના નેતાઓ એવું કહેવા પ્રેરાયા કે શું આ પાકિસ્તાન છે. મુસ્લિમ લીગ અને પાકિસ્તાનના ઝંડા વચ્ચેનો ફરક ન સમજી શકવું એ તેમની મુસ્લિમો પ્રત્યેની માનસિકતા દર્શાવે છે.

મોદીએ શું કરવું પડશે?

જો મોદી ખરેખર દરેક ભારતીયના નેતા બનવા ઈચ્છે છે તો તેમણે દરેક સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. સબકા વિકાસ ખરેખર થાય તે માટે વિશિષ્ટતાનો સ્વીકાર જરૂરી છે અને તો જ ભારત સમાનતા પર આધારિત નાગરિકતા તરફ આગળ વધી શકશે. વિકાસ માત્ર ભૌતિક ન હોવો જોઈએ, તે આત્મ સન્માન અને સલામતીનો પણ અનુભવ કરાવતો હોવો જોઈએ.

મોદી હજુ બધાના નેતા બનવાનું બાકી છે કેમકે તેઓ હજુ કદાચ ભેદભાવના ઊંડા ઉતરી ગયેલા મૂળને કારણે લઘુમતીઓને અનુભવાતી અલગતાવાદની ભાવનાઓને સમજી શક્યા નથી. તેમના રાજકારણને શક્તિ આપી રહેલા લોકોએ આ બાબતને છેલ્લા કેટલાક દાયકાઓમાં બળ આપ્યું છે.

(નોંધઃ અહીં વ્યક્ત કરાયેલા વિચારો લેખકના પોતાના છે, www.iamgujarat.comના નથી.)



from Page Array – I Am Gujarat http://bit.ly/2Je0SQx

No comments:

Post a Comment

Pages