Latest

Monday, May 20, 2019

World Cup 2019: ટીમ ઈન્ડિયામાં ધોનીની હાજરીથી વિરાટ કોહલીને શું ફાયદો થશે?

ટીમ ઈન્ડિયા છે તૈયાર

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આગામી વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવા માટે તૈયાર છે. ‘વિરાટ સેના’ આ વખતે વિશ્વકપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જોકે, કેપ્ટન કોહલી માટે આઈપીએની બારમી સીઝન સારી રહી નથી. ઘણા નિષ્ણાંતો અને પૂર્વ સિનિયર ક્રિકેટરો એવું ઈચ્છે છે કે, કોહલી કેપ્ટનશીપથી આરામ લે જેથી વિશ્વકપ પહેલા વર્કલોડ ઓછો કરી શકે. કારણે કે વર્કલોડથી વિશ્વકપમાં પર્ફોમન્સ પર અસર થઈ શકે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શું કહે છે સિનિયર ખેલાડી?

ન્યૂઝિલેન્ડના પૂર્વ ક્રિકેટર ડેની મોરિસન એવું ઈચ્છતા હતા કે, કેપ્ટન કોહલી પોતાની કેપ્ટનશીપમાંથી આરામ લઈને બેટિંગ પર ધ્યાન આપે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર મોરિસને ઉમેર્યું હતું કે,આઈપીએલ વખતે વિરાટ પોતાના બેટિંગ પર ધ્યાન આપી શક્યો હોત તો સારું હતું. જ્યારે તમે દરેક તરફ ધ્યાન આપો છો ત્યારે તેની અસર તમારા પર્ફોમન્સ ઉપર પણ પડે છે. મને લાગે છે કે, હું એકલો એવો વ્યક્તિ નથી પણ બીજા ઘણા લોકોએ પણ આઈપીએલને નજીકથી જોઈ છે.

વિશ્વકપ માટે મજબુત છે ઈન્ડિયા

મોરિસને ઉમેર્યું હતું કે, વિરાટે આઈપીએલમાંથી થોડો બ્રેક લઈને આરામ કરવો જોઈતો હતો. જોકે, ટીમ ઈન્ડિયા વિશ્વકપ માટે એક મજબુત ટીમ છે. જેને હરાવવી સરળ નથી. ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની હાજરીથી કોહલીને સારું એવું ગાઈડન્સ અને પ્રોત્સાહન મળી રહેશે. કારણ કે તે ખૂબ જ અનુભવી ખેલાડી છે અને બેટિંગનો પણ સારો એવો અનુભવ છે. કપરી સ્થિતિમાં પણ ધોનીની હાજરીથી ટીમને ફાયદો થશે. કોહલી અને ધોનીની જોડીથી ટીમ ઈન્ડિયા મજબુત બની રહી છે.

ધોનીનું મહત્ત્વ છે

મોરિસને ઉમેર્યું કે, ધોની જેવો પૂર્વ કેપ્ટન ટીમમાં હોય એટલે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ધોની અને કોહલી જે રીતે વાત કરે છે અને એકબીજાને પ્રતિક્રિયા આપે છે એ મને ખૂબ ગમે છે. કોચ રવિ શાસ્ત્રી સાથે પણ તેનો ખાસ એવો તાલમેલ છે. ધોનીના રુપમાં કોહલી પાસે એક બેસ્ટ ખેલાડી છે. આપણે જાણીએ છીએ કે, તેણે કપરી સ્થિતિમાં કેવું પર્ફોમન્સ આપ્યું છે. તેથી ભારતને હરાવવું સરળ નથી.

 



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2HCDKrZ

No comments:

Post a Comment

Pages