Latest

Wednesday, June 26, 2019

‘મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા ન સુધરી તો દેશની આર્થિક રાજધાનીનું ટેગ અમદાવાદને મળી જશે’

મંથન કે. મહેતા, મુંબઈ: વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ રાજ્યની અર્થવ્યવસ્થાના નબળા સંચાલનને જોતાં મહારાષ્ટ્ર સરકારની સખત ટીકા કરી. સાથે જ ભય વ્યક્ત કર્યો કે જો સ્થિતિ આવી જ રહી તો મુંબઈ પાસેથી દેશની આર્થિક રાજધાનીનું સ્થાન છીનવાઈને અમદાવાદના ફાળે જતું રહેશે. વિધાન પરિષદમાં બજેટ મુદ્દે ચર્ચા કરતી વખતે ઊંચી રાજકોષીય ખાધ, દેવું, નોકરીઓનો અભાવ, ગુડ્સ અને સર્વિસ ટેક્સના નબળા અમલીકરણને કારણે ઉદ્યોગ-ધંધા બંધ થવા તેમજ નોટબંધી જેવી બાબતોને લઈને રાજ્ય સરકારને આડે હાથ લીધી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ધનંજય મુંડેએ કહ્યું, “રાજ્ય સરકારે મુંબઈમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ અને સર્વિસ સેન્ટર (ISFC) સ્થાપવાનું વચન આપ્યું હતું. જો કે, ગુજરાતે મુંબઈને પાછળ છોડીને IFSC અને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (GIFT)ની સ્થાપના કરી દીધી છે. ધંધાકીય વાતાવરણ પૂરું પાડવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (RIL) ગુજરાતમાં ઓફિસનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. RILએ ચાર ટેલિકોમ અને એક ઈન્વેસ્ટમેન્ટ કંપની છેલ્લા 1 વર્ષથી ગુજરાતના અમદાવાદમાં ખસેડી દીધી છે. જો આવી જ રીતે અણઘડ વહીવટ રહ્યો તો દેશની આર્થિક રાજધાનીનું ટેગ મુંબઈ પાસેથી છીનવાઈ જશે અને અમદાવાદને મળી જશે.”

ધનંજય મુંડેએ છત્રપતિ શિવાજી, બાલાસાહેબ ઠાકરે અને બાબાસાહેબ આંબેડકરના સ્મારકો સહિતના વિવિધ સ્મારકોના નિર્માણમાં થતા વિલંબ મુદ્દે પણ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી. તેમણે આરોપ મૂક્યો, “છત્રપતિ શિવાજીની પ્રતિમાની ઊંચાઈ દબાણ હેઠળ ઘટાડવામાં આવી છે જેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ તરીકેનું ટેગ અકબંધ રહે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2xbjatF

No comments:

Post a Comment

Pages