જમ્મૂઃ અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રવિવારના રોજ રવાના થઇ ગયો અને આ સંબંધમાં જરૂરી તમામ વ્યવસ્થા કરી લેવાઇ છે. અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધીમાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનાર આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જમ્મુ બેઝ કેમ્પમાંથી રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે.કે.શર્માએ ઝંડી દેખાડી પહેલો જથ્થો રવાના કરી દીધો છે. આખી અમરનાથ યાત્રા પર ઠેપ-ઠેર સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાની 36 કિલોમીટર લાંબી પરંપરાગત પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલતાલ માર્ગ થઇને જાય છે. અહીંથી નીકળેલા શ્રદ્ધાળું સાંજ સુધીમાં શ્રીનગર પહોંચશે અને સોમવારના રોજ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.
Jammu: First batch of Amarnath Yatra flagged off from Jammu base camp by KK Sharma, Advisor to the Governor Satya Pal Malik, amidst tight security. #JammuAndKashmir pic.twitter.com/aMO8dMp60x
— ANI (@ANI) June 29, 2019
આ તીર્થયાત્રાને લઇ સાધુઓ સહિત સેંકડો શ્રદ્ધાળું અત્યંત ઉત્સાહિત છે. જમ્મુના મંડળ આયુકત સંજીવ વર્માએ કહ્યું કે તીર્થયાત્રીઓની સુવિધા અને યાત્રા દરમ્યાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા સહિત તમામ જરૂરી વ્યવસ્થા કરી લેવાઇ છે. યાત્રા 15 ઓગસ્ટના રોજ ખત્મ થશે.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ.કે.સિન્હા એ કહ્યું કે ખતરાની આશંકાને ધ્યાનમાં રાખતા યાત્રા માર્ગ પર લખનપુર (જમ્મુ-કાશ્મીર માટે પ્રવેશ દ્વાર)થી લઇ આધાર શિબિરો, આશ્રય કેન્દ્ર, સામુદાયિક કિચન સ્થાનો પર પૂરતો બંદોબસ્ત કરાયો છે. તેમણે કહ્યું કે યાત્રામાં અવરોધ ઉભો કરવાની આતંકવાદીઓની કોઇ યોજનાને લઇ ગુપ્ત માહિતી મળી નથી. પરંતુ રાજ્યના હાલના સુરક્ષા પરિદ્રશ્યને જોતા કોઇપણ આતંકી પ્રયાસને નિષ્ફળ કરવા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરાયો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2IYIzO3
No comments:
Post a Comment